________________
ઉપસંહાર
અનાદિકાળથી અંકુશ બહાર રહેલ એવા મનને અંકુશમાં લાવી, કષાયોનો નિગ્રહ કરી, વિષયો પ્રત્યેની આસક્તિ ઘટાડીને તાત્ત્વિક ધ્યાન કરવાનું છે. આ ધ્યાન કરતાં-કરતાં કેવળ કલ્પનાના બૌદ્ધિક તરંગો જ ઊભા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. આપણા શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ એ જ આપણું અંતિમ ધ્યેય છે. તેના સાધનરૂપે જ આ ધ્યાનમાર્ગ, ધ્યાનયોગ સ્વીકારવામાં આવે છે. આત્માનો આનંદ જો ધ્યાન દરમ્યાન અનુભવાય તો સમજવું કે આ તાત્ત્વિક ધ્યાન છે. બાકી બધું પ્રાયઃ વ્યર્થ છે !
બસ ! આ ધ્યાનયોગના માધ્યમે વહેલી તકે શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય, અખંડ આનંદમય, ચૈતન્યમય આત્મા અનુભવાય, સંસારની બાહ્ય કોઇ પણ ચીજ વ્યર્થ લાગે, તુચ્છ લાગે, અસાર લાગે તથા આત્મા જ પ્રાપ્તવ્ય લાગે, તેમાં જ શ્રેયઃ અનુભવાય અને વહેલી તકે પરમપદની પ્રાપ્તિ થાય. એ જ
મંગલ
ભાવના...
જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છા મિ દુક્કડમ્
૬૬
જૈન ધ્યાન માર્ગ