Book Title: Papni Saja Bhare Part 15 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 2
________________ પ્રવચન-૧૫ “બારમું પાપસ્થાનક” “કલહ “કલહ નું પરિણામ પરમ વંદનીય પૂજ્યપાદ આરાધ્યદેવ મહાવીતરાગી મહાવી દ્વેષી સર્વજ્ઞ પ્રભુ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચરણારવિંદમાં કેટિશઃ નમસ્કાર પૂર્વક – आत्मानं तापयेन्नित्य, तापयेच्च परानपि । उभयोदु: खकृत्क्लेशो, यथोष्णरेणुका क्षितौ ॥ જેવી રીતે તપી ગયેલી ગરમ રેતી પિતાને પણ તપાવે છે અને પૃથ્વીને પણ તપાવે છે, તેવી રીતે જે પિતાના આત્માને હંમેશા તપાવે અને બીજાને પણ તપાવે અર્થાત્ ગરમ (ઉષ્ણ) કરે એ કલેશ (કજિ) બંનેને દુઃખ આપવાવાળે થાય છે. બારમું પાપસ્થાનક– “કલહ” અઢાર પા૫સ્થાનક જે ક્રમશઃ રાખવામાં આવ્યા છે. તેમાં પહેલા પાંચ-એકથી પાંચ પાપસ્થાનક દ્રવ્ય પાપ છે. છ થી અગિયાર સુધીના છ પાપસ્થાનક ભાવપાપ છે, આંતરિક છે. પહેલા ૧ થી ૫ બાહ્ય પાપ છે. હવે અહીં મારમાં કલહ પાપસ્થાનકથી છ પાપસ્થાનક અર્થાત બારથી સત્તર સુધીના પાપોને વ્યવહાર પાપસ્યાનકમાં ગણવામાં આવે છે. અઢારમું પાપસ્થાનક મિથ્યાત્વશલ્ય એ આત્મિક છે. આત્માના જ્ઞાનમાં રહેવાવાળી દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યેની વિપરીત વૃત્તિ તે મિથ્યા જ્ઞાન છે, મિથ્યાત્વ છે. પહેલાના પ્રાણાતિપાત વગેરે પાંચ પાપસ્થાનને અર્થાત્ દ્રવ્ય (બાહ્ય) પાપોને આત્યંતર (૬ થી ૧૧) થી ઘણે વેગ મળે છે. ઘીની આહુતિ જેવી રીતે અગ્નિને પ્રજવલિત કરે છે તેવી જ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 50