Book Title: Papni Saja Bhare Part 07
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 43
________________ ૩૧૨ અન્ધાનુકરણ કરીને બગડી રહી છે. પિતાના સંસ્કારને છેડી રહી છે. આનાથી વધીને બીજી વધુ મૂર્ખતા શું હોઈ શકે? જ્યારે બીજી બાજુ વિદેશી કે ભારતીય સંસ્કારોની પ્રશંસા કરી રહ્યા છે. અહીંની કૌટુંબિક વ્યવસ્થાની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે, કેમ કે તેમનામાં કૌટુંબિકની વ્યવસ્થા જેવી વસ્તુ જ નથી. છોકરા-છોકરી પંદર-વીસ વર્ષના યુવાન થયા કે પછી તેઓ સ્વતંત્ર મનોવૃત્તિવાળા બની જાય છે. કોઈપણ કેઈની સાથે સંબંધ કરે લગ્ન કરે કયાંય પણ જાય. ક્યારેય પણ આવે કેોઈપણ પ્રકારની કચકચ નથી. માતાપિતાનું પણ કોઈ નિયંત્રણ નથી આખરે રહે કયાંથી? તેમનું પણ જીવન તેવા પ્રકારનું છે. એક તો માતા-પિતાનું ઠેકાણું જ નથી રહેતું. પાંચ સાતવાર છૂટાછેડા આપીને પિતાએ નવા નવા લગ્ન કર્યાં હોય છે. પુત્રોનું પિતાના લગ્નમાં વારંવાર જવું એ આ જમાનાનું આભૂષણ બની ગયું છે. વિચારે! માતા-પિતાની આવી સ્થિતિ જોઈને પુત્રને માતા-પિતા તરફ શું સદભાવ–પૂજ્યભાવ રહેશે? શકયતા જ નથી. ન તે પુત્રને પિતાની પડી હોય છે અને ન તે પિતાને પુત્રની પડી હોય છે. બધા માત્ર પિત–પિતાનામાં પડેલા છે. પિતા પિતાના શયનખંડમાં છે, ગમે ત્યારે ઊઠીને પિતાની દિનચર્ચા પૂરી કરીને નીકળી જાય છે. પુત્ર-પુત્રો ગમે ત્યારે આવે છે, જાય છે. પરસ્પર પ્રેમ નથી, સમાન નથી અને મર્યાદા પણ નથી. માત્ર પશુ જેવું જીવન બની ગયું છે. કામ વાસના સિવાય બીજું કંઈ જ રહ્યું નથી. આંતરજાતીય લગ્નના દુષ્પરિણામ આંતર જાતીય લગ્ન, પિતાનાથી ભિન્ન જાતિના લગ્ન, આંતર ખંડીય લગ્ન, અને પિતાના ધર્મથી ભિનન ધમ, પિતાની ભાષાથી ભિન્ન ભાષાવાળા સાથે લગ્ન, પોતાના સમાજથી બહાર ભિન સમાજમાં લગ્ન, એ રીતે પિતાના આહાર અને રહેણીકરણીથી વિરૂદ્ધ આહાર અને રહેણી કરણીવાળા સાથે લગ્ન જે આજે આ જમાનાનું પ્રદાન છે. કલિયુગની જે ફેશન છે એનું કેટલું ભયંકર દુષ્ટ પરિણામ આવ્યું છે ? એ તે આખેની સામે પ્રત્યક્ષ જ છે. સર– કાર પ્રોત્સાહન આપે છે. ઉચ્ચ વર્ણવાળા જે હરીજન–શૂદ્ર સાથે લગ્ન કરે છે તેને સરકાર ઈનામ આપે છે. પછી.. નસબંધી કરાવે તે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66