________________
૩૨૩
અહીં છે. અહીં શારીરિક શક્તિનું દેવાળું નીકળી જશે. જે વીય શરીરને રાજા (King of Body) છે. તેને આસન પ્રાણાયામની ચુંગ સાધનાથી ઉદર્વગામી બનાવવું જોઈએ અગામી તે બધા બનાવે છે. વીર્યશક્તિ અધગામી બનીને નાશના માર્ગે ચાલી જાય તેની અપેક્ષાએ ઉર્ધ્વગામી બનીને મગજ સુધી પહોંચી જાય તે હજારો પાંખડીવાળું કમળ ખીલી જાય. સાધકનું કપાળ સૂર્યની જેમ તેજસ્વી બની જાય. મુખ રૂપી કમળ પરાક્રમ અને તેજથી ભરાઈ જાય પ્રાચીનકાળના મહાપુરૂષોના તૈલચિત્ર છાયાચિત્ર પણ જોઈએ છીએ તે ફોટા પર શું પરાક્રમ અને તેજ દેખાય છે? કેટલે ગંભીર ચહેરો ! ચહેરા ઉપરથી તેજ જાણે કે સૂર્યના કિરણે ચારે તરફ ફેલાઈ રહ્યા હોય તેવી રીતે પ્રસરે છે. આથી બ્રહ્મચર્ય પાલનના સેંકડો લાભ છે અને અબ્રહ્મમૈથુન સેવનમાં મહાપાપ છે. હજારો નુકશાન છે. આજના આધુનિક ડોકટર કહી દે છે....ના....ના...આ તો મળ-મૂત્ર–કફ-ઘૂંકની જેમ વીર્ય નીકળી પણ જાય તે કઈ વાંધો નથી. શરીરને શારીરિક ધર્મ છે. કુદરતી હાજતની જેમ છે. જાય તે જવા દે ! હાશ..અરેરે! જ્યારે આવા જ ડેકટર યુવકોને મળશે તે વિચારો, શું વીર્ય રક્ષા થશે? પછી તે સત્યાનાશ–સર્વનાશ જ છે. વિનાશકાળે વિપરીત બુદ્ધિના જેવી આ વાત થશે. - વીર્યપાત કેઈ મલ-મૂત્રની જેમ સ્વાભાવિક પ્રક્રિયા નથી. રોગને ઉપાય ન જાણતાં હોય તે પોતાના અજ્ઞાનને પ્રગટ ન કરે. રોગને પણુ આરોગ્ય કહી પ્રજા સાથે કપટ ન ખેલો કેઈના જીવનની સાથે વિશ્વાસઘાતનું નાટક કરવાની ધૃષ્ટતા તે ન કરે. આ મેટો પ્રજાદ્રોહ થશે. આવા પ્રચારથી અનેકના જીવન બરબાદ થશે! અરે...અરે પાપીના ઘરે સાપ મહેમાન બનીને આવે તે પછી શું બાકી રહે? શુદ્ધ બ્રહ્મચર્યને પાળીને સ્વશક્તિને જ્ઞાન–દયાન-સ્વાધ્યાયમાં એકત્રિત કરતા સાધુસંતો વગેરે કોઈ પાગલ નથી. કુદરતી હાજતને તે એક-બે દિવસ રેકે તો આપ મેત સુધી પહોંચે છે. પરંતુ વીર્યપાત એ કુદરતી હાજત નથી. એને રાખીને તે વર્ષો સુધી જીવી શકે છે. તેજસ્વી બની શકે છે. વિરૂદ્ધ પ્રચારથી જ પ્રજા નમાલી, નિરતેજ, રોગગ્રસ્ત બની. શુદ્ધ સાત્વિક બળવાળે કઈ આજે કયાં છે ? કયાં છે તે શક્તિ જે ધરતીને હલાવી શકે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org