Book Title: Pandav Charitra Mahakava
Author(s): Bhanuchandravijay
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 471
________________ ૪૬૨] [પાંડવ ચરિત્ર મહાકાવ્ય મનમાં કૃષ્ણ વિચાર કર્યો કે પાંડે અવશ્ય પ્રશંસનીય છે. જેઓ પિતાની તાકાતથી ગંગાનદી પાર ઉતરી ગયા, નદી ઉતરતાં કૃષ્ણ થાકી ગયા, દેવતાએ વાસુદેવને વિશ્રાંતિ કરવા માટે નદી વચ્ચે બેટ બનાવ્યું, થોડીવાર વિશ્રાંતિ કરીને કૃષ્ણ નદીને સામે કિનારે પહોંચ્યા, કૃણે પૂછ્યું કે તમે લોકે કેવી રીતે નદી ઉતર્યા પાંડેએ “નાવથી નદી પાર કરી છે એમ કહ્યું તે પછી તમે નાવ પાછી કેમ ન મેકલાવી ? કૃષ્ણ કહ્યું. ત્યારે પાંડવોએ કહ્યું કે આપની ભુજાનું બળ જેવાની ઈચ્છા હોવાથી નાવ પાછી ન મેકલાવી. કૃષ્ણ ક્રોધમાં આવીને કહ્યું કે કંસ–ચાણુરકેશી–જરાસંધ વિગેરેને મારતી વખતે તથા હમણાં જ પદ્મનાભને જીતવા છતાં, પણ તમને મારી ભુજાબલની શક્તિ જેવાની ઈચ્છા થઈ છે? તે હમણું જ તમે જોઈ લે? આ પ્રમાણે કહીને લેહદંડથી કૃષ્ણ પાંડવોના રથો ભાંગી નાખ્યા, અને કહ્યું કે તમે મારી ભૂમિમાં રહેશે તો પુત્ર-ભાઈઓ તથા સેના સહિત તમને બધાને મારી નાખીશ, આ પ્રમાણે કહીને કૃષ્ણ દ્વારિકા નગરીમાં આવ્યા, જ્યારે દુઃખી બનેલા પાંડે હસ્તિનાપુર આવ્યા. ત્યાં આવીને પાંડવોએ બનેલી હકીકત માતા-પિતાને કહી સંભળાવી. ખરેખર જગતમાં સુખદુઃખની વાતો માતાપિતાને જ કહેવાય છે. છે ત્યારબાદ કૃષ્ણને સમજાવવા માટે પાંડુરાજાએ કુંતીને દ્વારિકા કૃષ્ણની પાસે મોકલાવ્યા, હાથી ઉપર

Loading...

Page Navigation
1 ... 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506