Book Title: Panchvastuk Prakaran Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 217
________________ ૧૯૮ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૫૪૪-૫૪૫, ૫૪૬ ટીકાર્ય : અનુકંપા અને વૈયાવચ્ચથી પ્રાપ્ત એવો શિવપુરનો માર્ગ પ્રથમ છે, અને તે માર્ગ સુખપરગામી=સુખપૂર્વક જનારા, જિનાદિનો જાણવો. વળી તેમાં અયત્નથી=અનુકંપાદિમાં અયત્નથી, ઇતર=દ્વિતીય, માર્ગ છે, અને તે માર્ગ સદા જ આત્માર્થમાં પર=પોતાના આત્માના પ્રયોજનમાં તત્પર, એવા સામાન્ય સાધુઓનો જાણવો, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે રીતે વસંતપુર વગેરે કોઈક નગરના બે માર્ગમાંથી એક માર્ગ વૃક્ષોની છાયા, પુષ્પ, ફળવાળો હોય, અને બીજો માર્ગ છાયા આદિ વગરનો હોય; તે રીતે મોક્ષરૂપી નગરનો પણ એક માર્ગ સુંદર ભોગસુખોની પ્રાપ્તિ કરાવવા દ્વારા મોક્ષસુખને આપનાર છે, અને બીજો માર્ગ વિશેષ શાતા અપાવે તેવી પુણ્યપ્રકૃતિ વગર મોક્ષસુખને આપનાર છે. વળી, બે પ્રકારના ભાવમાર્ગમાંથી પ્રથમ માર્ગ, સાધનાકાળમાં વિવેકપૂર્વકની ભાવઅનુકંપા અને વૈયાવચ્ચ કરવાની પરિણતિવાળા જીવોને વિશિષ્ટ શાતા બંધાવીને શાતાપૂર્વક મોક્ષમાં લઈ જનાર છે, જે માર્ગ સુખપૂર્વક મોલમાં જનારા તીર્થંકરાદિને હોય છે. નિનાવીન”માં “સવિ' પદથી ભરતચક્રી જેવા જીવોનું ગ્રહણ કરવાનું છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવોને તારવાના અભિલાષરૂપ સંસારી જીવો પર ઉત્કૃષ્ટ ભાવઅનુકંપા કરીને કેટલાક જીવો તીર્થકર નામકર્મ બાંધે છે, અને ભરત મહારાજા જેવા જીવો વિશિષ્ટ વૈયાવચ્ચ કરીને વિશેષ શાતા મળે તેવી પુણ્યપ્રકૃતિ બાંધે છે. આમ, બંને પ્રકારના જીવો પ્રાસંગિક ભોગસુખો પામીને શાતાપૂર્વક મોક્ષે જાય છે, જે શિવપુરનો પ્રથમ માર્ગ છે. વળી આત્મકલ્યાણમાં તત્પર એવા સામાન્ય સાધુઓ સંસારથી વિરક્ત થઈને અનુકંપાદિમાં પ્રવૃત્તિ કરતા હોય છે ત્યારે, તેઓને તીર્થકરોની જેમ ઉત્કૃષ્ટ ભાવઅનુકંપાનો કે ભરતાદિની જેમ વિશિષ્ટ વૈયાવચ્ચનો પરિણામ થતો નથી, પરંતુ અનુકંપાદિ કૃત્યોમાં સામાન્ય સાધુઓની પોતાની ભૂમિકાને અનુરૂપ પરિણતિ હોય છે. તેથી તેઓને તીર્થકર કે ભરતાદિ જેવી શાતાની સામગ્રી પ્રાપ્ત થતી નથી, છતાં પૂર્વભવમાં કરેલ આરાધનાથી આવા જીવો પ્રાયઃ કરીને સારા ભવને અને સારા કુળને પ્રાપ્ત કરીને મોક્ષે જાય છે, જે શિવપુરનો બીજો માર્ગ છે. ||૫૪૪/પ૪પી. અવતરણિકા : उपसंहरन्नाह - અવતરણિતાર્થ: ગાથા ૫૦પથી માંડીને પચ્ચકખાણ ગ્રહણ કરવાનાં બતાવેલ સર્વ અંગોનું વિસ્તારથી સ્વરૂપ બતાવતાં, ગાથા પ૩૩થી પચ્ચકખાણ સ્વયં જ અનુપાલનીય છે એ અંગ બતાવવાનું શરૂ કર્યું. ત્યાં પ્રથમ પૂર્વપક્ષીએ શંકા કરી કે પચ્ચકખાણવાળા સાધુ અન્યને આહાર લાવી આપે તો તેમના પચ્ચખાણનો ભંગ થાય, તેનું નિરાકરણ કરીને ગ્રંથકારે સ્થાપન કર્યું કે પચ્ચકખાણવાળા સાધુ વૈયાવચ્ચ માટે આહાર લાવી આપી શકે અને આહારનો ઉપદેશ પણ આપી શકે. આ સર્વ વાત વૈયાવચ્ચના અધિકારથી બતાવી. હવે તે સર્વનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322