Book Title: Panchvastuk Prakaran Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 257
________________ ૨૩૮ પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૫૮૦ ગાથા : एमाई पडिसिद्धं सव्वं चिअ जिणवरेहऽजोग्गस्स । पच्छा विन्नायस्स वि गुणठाणं विज्जनाएणं ॥५८०॥ दारं ॥ અન્વયાર્થ: પચ્છા વિન્નાથ વિમળો વારસ-પાછળથી જણાયેલ પણ અયોગ્યના એવમાદિકગાથા પ૭૪થી ૫૭૯માં બતાવ્યા એ પ્રકારની આદિવાળા, સવ્વ વિસર્વ જ ગુણવાઈiગુણસ્થાન વિના,vi-વૈદ્યના જ્ઞાતથી=દષ્ટાંતથી, નિવેદિં જિનવર વડે પરિસિદ્ધ-પ્રતિષિદ્ધ છે. ગાથાર્થ : પાછળથી જણાયેલા પણ અયોગ્યના, ગાથા પ૦૪થી ૫૦લ્માં બતાવ્યાં એ પ્રકારની આદિવાળાં સર્વ જ ગુણસ્થાન, વૈધના દ્રષ્ટાંતથી જિનવર વડે પ્રતિષિદ્ધ છે. ટીકાઃ एवमादि प्रतिषिद्धं निराकृतं सर्वमेव जिनवरैः भगवद्भिरयोग्यस्य विनेयस्य पश्चाद्विज्ञातस्याप्ययोग्यतया गुणस्थानं - संवासानुयोगदानादि वैद्यज्ञातेन, स हि यदैवासाध्यं दोषं जानाति तदैव क्रियातो विरमतीति गाथार्थः ॥५८०॥द्वारम्॥ ટીકાર્ય પાછળથી વિશાત પણ અયોગ્ય વિનયના=શિષ્યના, એવમાદિ=પ્રવ્રાજન એ પ્રકારની આદિવાળાં, સર્વ જ સંવાસ-અનુયોગનું દાન આદિ રૂપ ગુણસ્થાન, અયોગ્યપણું હોવાથી વૈદ્યના જ્ઞાતથી=દષ્ટાંતથી, જિનવર વડે=ભગવાન વડે, પ્રતિષિદ્ધ છે=નિરાકૃત છે, જે કારણથી તે-વૈદ્ય, જ્યારે જ દોષને અસાધ્ય જાણે છે, ત્યારે જ ક્રિયાથી=રોગીને ઔષધાદિ આપવારૂપ ચિકિત્સાથી, વિરમે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૫૭૪થી ૫૭૯માં બતાવ્યું તેમ પ્રવ્રજ્યા વગેરે સર્વ જ ગુણસ્થાન, અયોગ્ય શિષ્યને આપવાનો ભગવાને નિષેધ કર્યો છે અર્થાત્ કદાચ અનાભોગાદિથી પ્રવ્રજયા વગેરે આગળ-આગળનાં ગુણસ્થાન આપ્યા પછી શિષ્યની અયોગ્યતાનો ખ્યાલ આવે તો, તેનાથી ઉત્તર-ઉત્તરના ગુણો વધારવાની ક્રિયારૂપ ગુણસ્થાનનો ભગવાને નિષેધ કર્યો છે. તેમાં વૈદ્યનું દૃષ્ટાંત છે, તે આ પ્રમાણે – જેવી રીતે સુવૈદ્ય આ રોગીનો રોગ અસાધ્ય છે એમ જાણે, તો તે રોગીના રોગની ચિકિત્સા કરે નહિ; અને ક્વચિત્ અનાભોગાદિથી વૈદ્યને રોગીના અસાધ્ય રોગનો ખ્યાલ ન આવ્યો હોય, અને ચિકિત્સાક્રિયાનો પ્રારંભ કર્યો હોય, છતાં પાછળથી પણ ખ્યાલ આવે કે આ રોગીનો રોગ અસાધ્ય છે, તો તરત વૈદ્ય આગળઆગળની ચિકિત્સાક્રિયાથી વિરામ પામી જાય છે, કેમ કે સારા વૈદ્ય રોગીના હિત માટે ચિકિત્સા કરતા હોય છે. તેથી તે જાણતા હોય કે અસાધ્યરોગવાળા રોગીને ઔષધ આપવાથી તેનું હિત થતું નથી, પરંતુ અહિત થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322