Book Title: Padarth Prakash Part 08
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 287
________________ ૨૬૮ મૂળગાથા - શબ્દાર્થ પૃથ્વીની નીચે મધ્યભાગે જ ઘનોદધિ વગેરેના પિંડનું પરિમાણ કહ્યુ છે, ત્યાર પછી ક્રમશઃ વલયના પરિમાણ સુધી ઘટે છે. (૨૧૪) તીસ પણવીસ પન્નરસ, દસ તિન્નિ પણ એગ લક્ખાઇ । પંચ ય નરયા કમસો, ચુલસી લક્ખાઈ સત્તસુ વિ ॥૨૧૫ા ૩૦ લાખ, ૨૫ લાખ, ૧૫ લાખ, ૧૦ લાખ, ૩ લાખ, ૫ ન્યૂન ૧ લાખ અને પાંચ નરકાવાસો ક્રમશઃ સાત પૃથ્વીઓમાં છે. સાતેમાં ૮૪ લાખ નરકાવાસ છે. (૨૧૫) તેરિક્કારસ નવ સગ, પણ તિન્નિગ પયર સગ્વિગુણવન્તા । સીમંતાઈ અપ્પઈ-ઠાણંતા ઇંદયા મજ્યે ॥૨૧૬॥ સાત પૃથ્વીમાં ક્રમશઃ ૧૩, ૧૧, ૯, ૭, ૫, ૩, ૧ પ્રતરો છે. કુલ ૪૯ પ્રતર છે. તેમની વચ્ચે સીમન્તકથી માંડીને અપ્રતિષ્ઠાન સુધીના ઇન્દ્રક નરકાવાસ છે. (૨૧૬) તેહિંતો દિસિવિદિસિં, વિણિગ્ગયા અઢ નિરયઆવલીયા । પઢમે પયરે દિસિ, ઈગુણવન્ત વિદિસાસુ અડયાલા ॥૨૧૭। બીયાઇસુ પયરેસુ, ઇગ ઇગ હીણા ઉ હુન્તિ પંતીઓ । જા સત્તમમહીપયરે, દિસી ઇક્કિક્કો વિદિસિ નત્ચિ ॥૨૧૮ તે ઇન્દ્રક નરકાવાસોથી દિશા-વિદિશામાં નરકાવાસોની ૮ આવલિઓ નીકળેલી છે. પહેલા પ્રતરમાં દિશામાં ૪૯ અને વિદિશામાં ૪૮ નરકાવાસ છે. બીજા વગેરે પ્રતોમાં પંક્તિઓ ૧૧ હીન નરકાવાસવાળી છે, યાવત્ સાતમી પૃથ્વીના પ્રતરમાં દિશામાં ૧-૧ નરકાવાસ છે અને વિદિશામાં નરકાવાસ નથી. (૨૧૭-૨૧૮)

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330