Book Title: Padarth Prakash Part 08
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
મૂળગાથા - શબ્દાર્થ
૨૮૩ અંતર્મુહૂર્ત ગયે છતે અને અંતર્મુહૂર્ત શેષ હોતે છતે પરિણામ પામેલી લેશ્યાઓ વડે જીવો પરલોકમાં જાય છે. (૨૮૪) તિરિ-નર આગામિભવલેસ્સાએ, અઈગયે સુરા નિરયા પુવભવલેસ્સસેસે, અંતમુહુરે મરણમિતિ ર૮પી.
તિર્યંચો અને મનુષ્યો આગામી ભવની વેશ્યાનું અંતર્મુહૂર્ત ગયે છતે અને દેવ-નારકો પૂર્વભવની વેશ્યાનું અંતર્મુહૂર્ત બાકી હોતે છતે મરણ પામે છે. (૨૮૫) અંતમુહુરૂઠિઈઓ, તિરિયનરાણે હવન્તિ લેસ્સાઓ. ચરિમા નરાણ પુણ, નવવાર્ણા યુવકોડી વિ ૨૮૬ll
તિર્યંચો-મનુષ્યોની લેશ્યાઓ અંતમૂહુર્ત સ્થિતિવાળી હોય છે. મનુષ્યોની છેલ્લી (શુક્લ) લેશ્યા ૯ વર્ષ જૂન ૧ પૂર્વક્રોડ વર્ષની પણ હોય. (૨૮૬). તિરિયાણ વિ ઠિપમુહં, ભણિયમસેસ પિ સંપર્ય વચ્છે ! અભિહિયદારક્લહિય, ચઉગઈજીવાણ સામન્ન ર૮થા
તિર્યંચોનું પણ સ્થિતિ વગેરે બધું ય કહ્યું. હવે કહેલા દ્વારથી અધિક ચારે ગતિના જીવોને વિષે સામાન્યથી કહીશ. (૨૮૭). દેવા અસંખનરતિરિ, ઈત્થી પુવેય ગર્ભનરતિરિયા સંખાઉયા તિવેયા, નપુંસગા નારયાઈઆ ર૮૮
દેવો, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો-તિર્યંચો સ્ત્રીવેદી અને પુરુષવેદી છે. સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્યો-તિર્યંચો ત્રણ વેદવાળા છે. નારકી વગેરે નપુંસકદવાળા છે. (૨૮૮)

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330