Book Title: Nyaya Bhumika
Author(s): Bhuvanbhanusuri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 330
________________ ૩૧૨ ન્યાય ભૂમિકા કે એ કરવા જ જોઇએ...ન્યાયમતે અહી પંચાવયવ ઝડપી રીતે મનમાં આવી જાય છે એમ મનાય છે, પરંતુ આપણા અનુભવ એ બતાવે છે કે માત્ર વ્યાપ્ય હેતુના જ્ઞાનથી સાધ્યનું અનુમાન થાય છે. એ પણ જોવા જેવુ' છે કે • ન્યાયમતે પક્ષમાં હેતુ સાધ્ય બન્નેનુ' સામાનાધિકરણ્ય લાવવું પડે છે; અર્થાત્ જે અધિકરણમાં હેતુ હાય ત્યાંજ સાધ્ય સિદ્ધ કરી શકાય. પરંતુ અનુભવ એમ કહે છે કે બધે જ હેતુ અને સાધ્ય ખેતુ -એક અધિકરણ બનાવવાના પ્રયાસ નથી હેાતા. અને તે છતાં અનુમિતિ થઈ જાય છે. દા.ત. આજે આકાશમાં ભરણી નક્ષત્ર દેખાયું, તેા તરત અનુમાન થાય છે કે ગઈ કાલે અશ્વિની નક્ષત્ર આવી ગયું....અલબત્ પરાર્થોનુમાનમાં કેટલીકવાર સામાને સમજાવવા માટે પ`ચાવયવ વાકથની જરૂર પડે છે. જેમકે વાદી–પ્રતિવાદીના વાદમાં પચાવયવના પ્રયાગ કરવા પડે છે, છતાં ત્યાં પણ વાઢી-પ્રતિવાદી ઉચ્ચ કક્ષાના વિદ્વાન હાયતા સંપૂર્ણ ૫'ચાવયવના પ્રયાગની જરૂર નથી રહેતી. મુખ્યપણે હેતુ અને સાધ્યના નિર્દેશ હાવા જોઇએ. એક વાત ધ્યાનમાં રાખવાની કે અનુમાનમાં પક્ષવૃત્તિવ–સપક્ષવૃત્તિ-વિપક્ષાવૃત્તિત્વની જેમ અસત્-પ્રતિ પક્ષવ અને અબાધિતત્વની પણ જરૂર પડે છે. જેથી એના પર કેાઈ બાધ–સપ્રતિપક્ષ વગેરે લેવાભાસની આપત્તિ ન આવે. અનુમાનના આ પાંચ ગુણ છે.

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364