Book Title: Nyaya Bhumika
Author(s): Bhuvanbhanusuri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 357
________________ ચિકીર્ષા કોઈપણ કાર્યના નિર્માણની પ્રવૃત્તિ કરવા માટે મુખ્ય બે વસ્તુની જરૂર પડે છે - (૧) કાર્યના ઉપાદાનના જ્ઞાન સાથે “આ મારા ઈષ્ટનું સાધન છે એવા ઈષ્ટસાધનતાના જ્ઞાનથી વિશિષ્ટ કૃતિસાધ્યતાનું જ્ઞાન–“આ મારી કૃતિથી સાધ્ય છે એવું જ્ઞાન. (૨) કાર્ય કરવાની ઈચ્છા (ચિકી) A. દાત. (૧) કુંભારને ઘડે કરે છે તે ઘડાનું ઉપાદાન માટી એ એને જણાવી જોઈએ, સાથે “આ માટી મારા ઈષ્ટ ઘડાનું સાધન છે એવું જ્ઞાન પણ જોઈએ, અર્થાત્ ઉપાદાન માટીમાં ઈષ્ટસાધનતાનું જ્ઞાન થવું જોઈએ, તેમજ મારા પ્રયત્નથી આ ઘડારૂપે બનવાને સાધ્ય છે, એવું કૃતિસાધ્યતાનું જ્ઞાન પણ જોઈએ. (૨) એને માટીમાં હું આમાં ઘડે કરું” “સત્ર પરમ્ અg૬ સુ” એવી ઘટ કરવાની ઈચ્છા અર્થાત ચિકીષ જોઈએ. પછી તે માટીમાં પ્રયત્ન શરૂ કરે છે. જે કે -માટીને પિંડે બનાવે, પછી ચાકડા પર ચઢાવે, ચાકડામાં દંડ ઘાલીને ચાકડાને ઘુમાવે..વગેરે. અહીં ધ્યાન રાખવાનું છે કે કુલાલની કૃતિ(પ્રયત્ન યાને પ્રવૃત્તિ)નો વિષય કેણ? માટી કે ઘડે? એને - ઉત્તર એ છે કે પ્રવૃત્તિના વિષય બે જાતના હોય છે -

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364