Book Title: Navangivruttikar Abaydevsuri Author(s): Bechardas Doshi Publisher: Vadilal M Parekh Kapadwanj View full book textPage 6
________________ ઉપલબ્ધ છે, કયાંય કયાંય આગમેના અર્થ વિષે મતભેદે પણ પ્રવતે છે, આગામે બાબત દુરસંપ્રદાય પ્રવર્તી રહ્યો છે, એટલે જે પરંપરા ઉપલબ્ધ છે તે પ્રામાણ્ય પ્રાપ્ત નથી, પિથી લખવામાં બેકાળજીપણાને લીધે આગમે ખિલ–ખંડિત થઈ ગયા છે, ઉપલબ્ધ લિખિત પુસ્તક વિગુણ છે, આગમનાં કૂટ પુસ્તકને પ્રચાર થઈ રહ્યો છે, વાચનાના ભેદે અપાર છે, આવા આવા હેતુને લીધે આગમે મહાદુર્બોધ બની ગયા છે. જે જ્ઞાન ઉપર સંયમ સદાચાર ત્યાગ બ્રહ્મચર્ય વગેરે સાધુએની ચર્ચાને મૂળ આધાર છે તે જ્ઞાન મૂળ આગમમાં જ ઉપલબ્ધ છે એથી આગમ પિતે જ વ્યવસ્થિત વાચનાવાળા અને વ્યવસ્થિત પાઠવાળા ન હોય તે પછી મુનિઓને સંયમધમ શેના આધારે ટકે? આ બધી પરિસ્થિતિને જોઈ–સમજી આગમની તરફ અસાધારણ ભક્તિ ધરાવનાર સમ્યક્ જ્ઞાન દર્શન અને ચારિત્રના આરાધક એવા શ્રીઅભયદેવસૂરિને તેમના ઉપર વૃત્તિ લખવાની પ્રેરણા થઈ આવે એ સહજ હતું એટલું જ નહીં પણ પિતે આદરેલી વૃત્તિએ લખવાની પ્રવૃત્તિ ઉપરના અનુચિત આક્ષેપોને પણ તેઓએ સામને કરેલ અને તેમની સામે ઊભી થયેલી વિનપરંપરાને પહોંચી વળવા સુધાં તૈયારી દાખવેલી. પ્રભાવકચરિત્રકાર તેમના વિશે લખતાં કહે છે કે આચાર્ય અભયદેવના શરીરમાં થયેલ રક્તવિકારને વ્યાધિ જોઈને તેમના સમયના લેકે એટલે સાધુઓ વા ગૃહસ્થ એમ કહેવા લાગેલા કે આચાર્યો અંગે ઉપર લખેલી વૃત્તિઓમાં ઉત્સુત્રપ્રરૂપણ આવી જવાને લીધે તેમને શિક્ષારૂપે કોઢ જે ભયંકર વ્યાધિ ન થાય એમ કેમ બને? એ રીતે તે સમયના આચારહીન જડ લેકેએ ૩ જુઓ પ્રભાવચરિત્ર-ઓગણીશમે શ્રીઅભયદેવસૂરિચરિતપ્રબંધ ક્ષેત્ર ૧૩૦, જુઓ ટિપ્પણ ૧૪ મું. તથા લે. ૧૩૧– “ अमर्षणजनास्तत्र प्रोचुरुत्सूत्र देशनात् । वृत्तिकारस्य कुष्ठोऽभूत् कुपितैः शासनामरैः ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34