Book Title: Navangivruttikar Abaydevsuri
Author(s): Bechardas Doshi
Publisher: Vadilal M Parekh Kapadwanj

View full book text
Previous | Next

Page 15
________________ ધર્મની રક્ષા માટે, ચિની સુરક્ષિતતા માટે અને શ્રી મહાવીરના તીર્થની ચિરંજીવિતા માટે ધર્મને નામે ચાલવા લાગ્યું, એટલે એમની સામેય કોણ થઈ શકે? એ ત્યવાસી સાધુઓ મંત્ર તંત્ર તંત્ર જોતિષ વૈદ્યક અને ધંધારોજગાર વગેરેની લેકપ્રિય પ્રવૃત્તિઓમાં ભારે કુશળ હતા તેથી જનતામાં તેમની ભારે લાગવગ વધેલી. તે સમયના કેટલાક રાજાએ પણ તેમના પ્રભાવમાં આવી ગયા હતા અને શ્રાવકે તે પહેલેથી જ એમના પ્રભાવથી અંજાયેલા હતા. આવી જેનશાસનની ન કલ્પી શકાય એવી ભયંકર દુર્દશા જેવા છતાંય કેની મગદૂર છે કે તેમની સામે એક હરફ પણ કાઢી શકાય ? વિક્રમના આઠમા સૈકામાં થયેલા પ્રખ્યાત સંવેગી આચાર્ય શ્રી હરિભદ્ર જેકે આ પરંપરાને હતા છતાંય તેઓના ખ્યાલમાં જેનશાસનની એ દુર્દશા આવી જ ગયેલી તેથી તેઓએ એને ખૂબ વિરોધ કરે અને એમાં સુધારો કરવા ભારે મથામણ કરેલી. પિતે એ પરંપરાના શેથિલ્યને ત્યાગ કરી સંવેગ માર્ગે ચડયા અને ધર્મના શુદ્ધ સ્વરૂપને સમજાવવાના પ્રયાસમાં તેમણે પિતાનું આખુંય જીવન વીતાવી દીધું. આ બધી બાબત તેમણે પિતાના ચરણકરણનુયોગને લગતા પંચાશક ષોડશક અણકે સંબેધપ્રકરણ વગેરે ગ્રંથમાં જોરશેરથી જણાવેલી છે. આમ છતાંય કઈ રડ્યાખડ્યા આત્માથી જ એ પરંપરાથી છૂટા રહ્યા અને બહુમતી તે એ પરંપરાની જ ટકી. આમ ઠેઠ વિક્રમના અગિયારમા સૈકા સુધી એમનું તાંડવ ચાલતું રહ્યું અને એને લીધે જ શ્રી અભયદેવસૂરિના કહેવા પ્રમાણે આગમના અભ્યાસની પરંપરા છિન્નભિન્ન થઈ ગઈ આગમને સ્વાધ્યાય તે ટકે પણ શી રીતે ? એ ચૈત્યવાસી મુનિએ ત્યાગની વાણુને બોધનારા આગમના અધ્યયનને મહત્વ શા માટે આપે ? આમ થવાથી જેમનાં અધ્યયન અધ્યાપન વાચના પ્રચ્છના પરા ૨૪] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34