Book Title: Navangivruttikar Abaydevsuri
Author(s): Bechardas Doshi
Publisher: Vadilal M Parekh Kapadwanj

View full book text
Previous | Next

Page 14
________________ રમાં, કેડમાં, ઉજજડ ઘરમાં કે સ્મશાનમાં રહી પિતાની કઠેર સાધના કર્યા કરતા. આ તરફ લેકના સંસર્ગમાં રહીને બૌદ્ધધર્મ પિતાનું સ્વત્વ ગુમાવીને પણ જેટલે ફેલાયે જતે હતો તેટલે જૈનધર્મ ફેલાતે ન હતા. તે જોઈને ખેદ પામતા તે શ્રમણને જૈનધર્મને ફેલાવે, કરવાના, તેને કાયમ માટે ટકાવી રાખવાના અને લેકેની વધારે સંખ્યાને જૈનધર્મ પહેચે એવું કરવાના કેડ જાગ્યા. એને સિદ્ધ કરવા એ ધુરંધર નિરોએ ચેત્યોને વહીવટ પિતાના હાથમાં લીધે અને પિતાના પરિવારને ચેત્યેની રખેવાળીનું કામ સેપ્યું. ચેત્યેના ગૌખીકે ચિત્યનું દ્રવ્ય ખાઈ જતા, ચૈત્યનાં ખેતરે તથા બાગબગીચાઓને ઉગ એ ગૌખીકે પિતાના અંગત ઉપભેગ માટે કરતા તે બધું આ તપસ્વીઓએ અટકાવ્યું અને ચૈત્યમાં પૂજન દર્શન વંદન માટે આવનારી જનતાને તેઓ પોતાની ત્યાગપ્રધાન ઉપદેશધારાદ્વારા તળ કરવા લાગ્યા. પણ ચેત્યેની આ સંપત્તિ સામે તેમને ત્યાગ વધારે વખત ન ટકી શક્યો અને એ નિગ્રંથનાં સંતાને પિતે ગૌષ્ટીકેની પેઠે જ વર્તવા લાગ્યા, અને કાયમી ચૈત્યવાસી બની ત્યાં ચેચમાં જ પડયાપાથર્યા રહેવા લાગ્યા. ચિની સંપત્તિને ઉપગ પોતે પિતાના ઉપભેગ માટે કરવા લાગ્યા. ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ નવસે વર્ષ પછી અર્થાત્ વિકમના પાંચમા સૈકામાં આ પરંપરાને જન્મ થઈ ગયે. આચાર્ય હરિભદ્ર પોતે રચેલા સંબધપ્રકરણમાં આ પરંપરાની જે ચર્ચા વર્ણવી છે તે વાંચતાં માલુમ પડે છે કે ચૈત્યવાસી સાધુઓ આચારમાં શિથિલ બન્યા હતા, મુનિ ધર્મના કઠેર આચારને તેમણે તજી દીધા હતા, વેશ તે મુનિને હતે પણ આચાર તે એક ન્યાયનિષ્ઠ ગૃહસ્થ કરતાંય ઊતરતે હતે. તેઓ પિતે અને પિતાના માણસો દ્વારા તમામ ચિત્યનો વહીવટ કરતા અને પિતાના આરામ માટે ચૈત્યદ્રવ્યને સ્વછંદપણે ઉપયોગ કરતા. તેઓ બ્રહ્મચર્યમાં ઢીલા બન્યા, પરિગ્રહી અને વિલાસી પણ થઈ ગયા. ગુરુને વેશ અને તાબામાં સંપત્તિ એટલે પછી શી મણ રહે? આ બધું પણ [ ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34