Book Title: Nahi Joie 2600 ni Rashtriya Ujavani
Author(s): Hitvardhanvijay
Publisher: Chandravati Balubhai Khimchand Religious Trust

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧. (૧૪) શું દેશી-વિદેશી સ્કૉલરોનું આદાન-પ્રદાન જરૂરી છે ? ર. 3. ૪. www.kobatirth.org ૫. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ મુદ્દો જ આખો તઘલખી છે. સ્કોલરોની જરૂર જૈનશાસનને છે જ ક્યાં ? એવી કઇ આંતરિક કટોકટી ઉભી થઇ કે જૈનધર્મના અભ્યાસ માટે દેશી-વિદેશી સ્કોલરોને ખરીદવા પડે ! યાદ રહે ! સ્કોલરોની જરૂર કોઇપણ સંસ્થાના સંચાલન માટે રહે છે. જૈનશાસનનું સંચાલન કરવાનો અધિકાર આચાર્ય ભગવંતો સીવાય અન્ય કોઈનેય નથી. જૈનશાસનના અભ્યાસ માટેનું સ્કોલરોનું આ સંવિત આદાન-પ્રદાન જૈનશાસનનો મૃત્યુઘંટ વગાડી દેશે ! શ્રમણસંઘની સર્વોપરિતા સામેનું આ બિભત્સ અટ્ટહાસ્ય છે. જૈન ધર્મની રક્ષા માટે જરૂરત છે. સુવિહિત શ્રમણોની, નહિ કે સ્કોલરોની. શું આ સ્કોલરો માંસાહારી ાહ જ હોય ? સદાચારી જ હશે ? જૈન ધર્મ માટે પૂર્ણ શ્રદ્ધાળુ હશે ? શું દેશીની સાથે વિદેશી સ્કોલરો આણવાથી જૈનશાસનની ત્યાગમયતા સામે ખતરો નહિ ઉભો થાય ? આ આખી યોજના જ બુધ્ધિના દેવાળાનું સૂચન કરે છે. જૈનોને સ્કોલરોની જરૂર નથી, જરૂર છે, શ્રમણોની, શ્રદ્ધાળુઓની. ૧૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27