Book Title: Nahi Joie 2600 ni Rashtriya Ujavani
Author(s): Hitvardhanvijay
Publisher: Chandravati Balubhai Khimchand Religious Trust

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧. ૨. 3. www.kobatirth.org ૫. (૧૫) શું પાઠ્યપુસ્તકોમાં ભગવાન મહાવીર વિષયક સાચાપાઠો દાખલ થઇ શકશે ખરા ? જૈન ધાર્મિક પાઠોની પસંદગી પણ સરકારનું શિક્ષણ બોર્ડ કરશે ! શું સરકારી શિક્ષણ બોર્ડે પરમાત્માના જીવનને ન્યાય આપે તેવા જ પાઠોને ચૂંટશે ? કે પછી પરમાત્માના જીવનની વાસ્તવિકતા સાથે સમાધાન કરનારા લેખકોના લેખો પણ સ્વીકારી લેશે ? ૪. પાઠ્યપુસ્તકોમાટે તૈયાર થનારા જૈન ધાર્મિક પાઠોનું સંપાદકકોણ ? Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિંતાની ખીણમાં ગબડાવી દે, એવો આ પ્રશ્ન છે. આજના પાઠ્યપુસ્તકોમાં ભગવાન મહાવીરદેવના જીવનનો પરિચય દાખલ કરાવવો તો કઠિન નથી, અલબત્ત ! એ પાઠો જૈન ઇતિહાસને પૂર્ણતઃ વફાદાર બનીને જ પ્રકાશિત થાય એ સાચ્ચે જ કઠિન છે. જૈનશાસનના અધિકૃત ગીતાર્થો પાસે તે પાઠોનું પરિમાર્જન કરાવાશે ખરૂ ? નિયામક કોણ ? શું તેની અવાસ્તવિકતા કે અશાસ્ત્રીયતા તરફ ધર્મગુરૂઓ ધ્યાન દોરશે તો તે સ્વીકારવા સરકાર બંધનકર્તા બનશે ખરી ? પાઠ્યપુસ્તકના બહુસંખ્યક પાઠોમાં લૌક્કિ નેતાઓ અને રાજનેતાઓના જીવન પણ લખાયા હશે. શું તેમના જેવી જ છાપ પાડે કે તેથીય ઓછી પ્રતિભા ઉપસાવે, એવા પરમાત્માના ચરિત્રો તો પાઠ્યપુસ્તકોમાં નહિ છપાય ને ? ૧૮ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27