Book Title: Nahi Joie 2600 ni Rashtriya Ujavani
Author(s): Hitvardhanvijay
Publisher: Chandravati Balubhai Khimchand Religious Trust
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) એક યુનિવર્સિટીને ભગવાન મહાવીરનું નામ
આપી શકાય ખરૂ ?
૧. ના, ન આપી શકાય. જે યુનિવર્સિટી તેના વિદ્યાર્થીઓને
મિથ્યાજ્ઞાનના જામ પીરસે છે, તે યુનિવર્સિટી સાથે સમ્યજ્ઞાનના
મસીહા તીર્થકરોનું નામ જોડાણ એક અપવિત્રક્રિયા બની જશે. ૨, યાદ રહે, પરમાત્મા મહાવીરદેવે સ્થાપેલો ધર્મ જ એક જંગી
યુનિવર્સિટી છે. જે યુનિવર્સિટીમાં ત્રણે કાળનું અને ત્રણે લોકનું તત્ત્વજ્ઞાન સર્વાગ સુન્દર રીતે રજું થયું છે. ત્યારે વિશ્વની વામણી યુનિવર્સિટી સાથે ભગવાનનું નામ જોડવાનો શો અર્થ ? એક સો ટચના સોના પર પીત્તળનો ઢોળ જરૂરી ખરો ? આજે યુનિવર્સિટી પર ભગવાનના નામકરણની અનુમતિ આપશો તો કાલે એ રેલો ક્યાં જઈ પહોંચશે, એ કલ્પી નથી શકાતું. કદાચ આવતીકાલે સિનેમા થિયેટરો પર પણ“ભગવાન મહાવીર સિનેમા ગૃહ”ના પાટીયા વાંચવાની નોબત વાગી ઉઠશે! આ વ્હેશત અસ્થાને નથી સાવધાન જૈનો! જે યુનિવર્સિટીનાવિદ્યાગુરુઓને વિદ્યાર્થીઓને ભગવાન મહાવીર સાથે કોઈ સંબંધ નથી, ભગવાનમાટેબહુમાન નથી, સન્માન નથી,
યુનિવર્સિટી પર ભગવાનનું નામ મૂકાવવું શું શેખચલ્લી જેવી ચેષ્ટા
નહિ ગણાય? પ. સરકારી અને મિથ્યાજ્ઞાન પીરસનારીયુનિવર્સિટીઓ પર ભગવાન
મહાવીરનું નામકરણ કરાવવાની સાજિષ વાસ્તવમાં “વિનય” નામના બીજા નંબરના જ્ઞાનાચારનું અતિક્રમણ છે.
૪.
જે
૧૯ ;
For Private and Personal Use Only