Book Title: Nahi Joie 2600 ni Rashtriya Ujavani
Author(s): Hitvardhanvijay
Publisher: Chandravati Balubhai Khimchand Religious Trust

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - (૨૦) ભગવાન મહાવીરને વિશ્વ પુરુષ’ ગણવાની આજીજી કરવા શું યુનેસ્કો પાસે ઘૂંટણિયા ટેકવવા જરૂરી છે ? -- | ૧. માનો યા ના માનો , પરમાત્મા વિશ્વમાત્રના નાયક છે. સ્વામી છે. પરમગુરૂ છે. વિશ્વપુરુષ નહિ, બ્રહ્માંડપુરુષ છે. આવા બ્રહ્માંડપુરુષને વિશ્વપુરુષની માન્યતા અપાવવાની ? એય વિશ્વના વામણા મનુષ્યો દ્વારા ? રે અજ્ઞાનતા ધિક્કાર છે આવી મૂઢ ચેષ્ટાને ! ૨. કલ્પના કરો યુનેસ્કોએ ભગવાન મહાવીરને વિશ્વપુરુષ ગણવાની ના પાડી. શું એમાં વિશ્વવત્સલ પરમાત્મા મહાવીરનું અવમૂલ્યન નહિ થાય ? જૈનોની નાલેશી નહિ થાય ? I ૩. તમામ ક્ષેત્રોમાં અને હંમેશા જેમનું દાયિત્વ સહુથીય શ્રેષ્ઠ રહ્યું છે, તે જેનોએ સરકાર પાસે ઘૂંટણિયાટેકવવા જરૂરી ખરા ? આનંદો યુનેસ્કોએ ભગવાન મહાવીરને વિશ્વપુરુષ ગણી લીધા. ત્યાર પછી પરમાત્માની ગણતરી વિશ્વપુરુષ તરીકે પ્રસિદ્ધ બનનારી ઈશુ ખ્રિસ્ત જેવી લૌકિક હસ્તિ સાથે થશે. શું વિશ્વના લોકાર તત્વની આવી લૌકિક સરખામણીઓ આપણા અંતરને કરડી નહિ ખાય. ૫, ભગવાન મહાવીરને વિશ્વપુરુષ ગણવાની માંગણી એટલે જગતના લોકોત્તર તત્વની સામે યુદ્ધની જાહેરાત ! ૨૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27