Book Title: Murtipooja
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Gyan Pracharak Mandal Sirohi

View full book text
Previous | Next

Page 266
________________ મૂર્તિપૂજા ૨૧૭ ઠા. ૪ મુનિ કનકચંદજી, જિનચંદજી, પ્રતિચંદ્રજી, ધ્યાનચંદ્રજી, પદ્મવિમલજી, કમલવિજયજી મ. શિવરાજજી, રત્નચંદ્રજી, રૂપવિજ્યજી, મગ્નસાગરજી, રત્નસાગરજી, વિવેકવિજયજી, સમતવિજયજી, ઈત્યાદિ. એટલું જ નહિ પણ હજુએ પ્રથા તો આજ પણ વિદ્યમાન છે. હાલમાં સ્થાનકવાસી સમુદાયના પ્રતિષ્ઠિત સ્વામિ કાનજી, કલ્યાણચંદ્રજી, ગુલાબચંદ્રજી વગેરેએ મુહપત્તિનો રે ત્રોડી મૂર્તિપૂજા સ્વીકારી છે. સ્વામી કર્મચંદજી, ભાચંદજી મૂલચંદજી વીગેરે વિદ્વાનેએ પિતાની દષિત માન્યતાને ત્યાગ કરી મૂતિ પૂજા રૂપી શુદ્ધ અને સનાતન માર્ગનું અવલંબન લીધું છે. એટલું જ નહિ પરંતુ સ્થાનકવાસી સમાજમાં સેંકડો વિદ્વાન સાધુ પિતાની કાયરતાથી વાડા બહાર નીકળી શકતા નથી તે પણ સમયે સમયે પરમ પવિત્ર એવં આગમ વિહિત શ્રી શત્રુંજય, શ્રીગિરનાર, શ્રીશિખરજી, રાણકપુર, આબુ, ઓસિયા, કાપરડાજી જેવા તીર્થોની યાત્રા કરી ખૂબ આનંદ લુંટે છે. વળી કેઈ તેરાપંથી સાધુઓએ પણ મુહપત્તિને ડોરે ત્રોડી સંવેગી દીક્ષા અંગીકાર કરી છે. કેવળ સાધુએએ જ શાસ્ત્રાભ્યાસ કરી સ્થાનકવાસી અને તેરાપંથી મતને સદાને માટે ત્યાગ કર્યો છે એટલું જ નહિ પણ સ્થાનકવાસી આર્થીઓએ પણ સત્યધર્મની શોધ કરી તે કલિપત મતને ત્યાગ કર્યો છે. જેમાં શ્રીમતી સાધ્વી ધનશ્રીજી, કલ્યાણશ્રીજી, સુમતિશ્રીજી, રમણિકશ્રીજી, આદિ કેઈ સાધ્વીઓએ પણ સંવેગી જૈન દીક્ષાને સ્વીકાર કરી છે. વળી સ્થાનકવાસી શ્રાવક શ્રાવિકાઓમાં તે એક યા અનેકવાર તીર્થ યાત્રા કરનારની સંખ્યા સેંકડો બલકે હજારે ગમે મળી આવે છે. સ્થાનકવાસી સમાજમાં કેટલોક સમજુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274