________________
૪૦૦
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ જ્ઞાનનું કાર્ય નથી ? દરેક વખતે જ્ઞાન તો સર્વ આત્મપ્રદેશે પોતાનું જ કાર્ય કરે છે, જ્ઞાન સર્વ વ્યાપક છે, વિકલ્પ વખતે પણ તેનાથી જુદું રહીને તે પોતાનું કાર્ય કરે છે. ભગવાન તરફના લક્ષ વખતે જ્ઞાન ખરેખર તો ભગવાનને જાણતું નથી પણ ભગવાનનો નિર્ણય કરનાર જે જ્ઞાન સામર્થ્ય છે તે જ્ઞાન સામર્થ્યને જ પોતે જાણે છે. જે જ્ઞાનના ખ્યાલમાં ભગવાનનું સામર્થ્ય આવ્યું તે જ્ઞાનના સામર્થ્યનું જેને મહાત્મય ન આવે તે અંતર સન્મુખતા કરીને ભગવાન શી રીતે થાય? સ્વરૂપ સન્મુખ થઈને જુએ તો દરેક વખતે પોતાનું જ્ઞાનનું જ પોતે મહાત્મય કરે છે, ક્યારેય પરનું મહાભ્ય કરતો નથી. પોતાના જ્ઞાનમાં સિદ્ધ પર્યાયની પ્રતીત કરીને તેને જ જે ધન્ય માને તે બીજા કોઈને પણ ધન્ય કેમ માને? જેણે સિદ્ધદશા અને કેવળજ્ઞાનને ધન્ય માન્યા તે ઇન્દ્રની સામગ્રીને રતનના
દીપકોને, પુણ્યના વિકલ્પ વગેરે કોઈને પણ ધન્ય માને નહીં. (૧૮) આજ તો પૂર્ણાનંદી સ્વરૂપ પ્રસન્ન થઈને કેવળજ્ઞાન પ્રગટે તે ધન્ય છે, પુણ્યથી સ્વભાવની
મોટપ નથી. શું ધર્મનું ફળ પુણ્ય હોય ? જેમ છ ખંડનો ઘણી ચક્રવર્તી રાજા રીઝે અને પ્રસન્ન થઈને કહે કે મારા સરખું કોઈ કામ બતાવ! માગ, જેટલું જોઈએ તેટલું માંગ ! તું જે માગ તે હું આપવા સમર્થ છું માટે મારી પાસેથી માંગવું હોય તે માગ. આમ ચક્રવર્તી રાજા પ્રસન્ન થાય અને માગવાનું કહે ત્યારે તેને કહે કે “આ મારા આંગણાનું વાસીંદુ કાઢી નાખ” – એ તે કંઈ માંગ્યું કહેવાય? અરે ભાઈ !તે શું માગ્યું? વાસીદા કાઢવાના કામ તે શું ચક્રવર્તી રાજા પાસેથી લેવાતા હશે? તેમ અહીં આખો આત્મ સ્વભાવ પ્રસન્ન થાય છે; કોને પ્રસન્ન થાય છે? જે જીવે સિદ્ધ ભગવાનનો નિર્ણય કર્યો અને પોતાના તેવા પરિપૂર્ણ સ્વભાવનો નિર્ણય કર્યો તે જીવને સ્વભાવ પ્રસન્ન થાય છે.
જ્યાં સ્વભાવને નિર્ણયમાં લીધો ત્યાં પૂર્ણ સ્વભાવ પ્રસન્ન થઈને કહે છે કે, માગ! માગ ! જે દશા જોઈએ તે આપવા તૈયાર છું તારાથી થવાય એટલો થા, જેટલી હદે થવું હોય તેટલી હદે થા, પૂરું સિદ્ધપદ માગ ! હું આજ ક્ષણે તે તને દઊં... આ રીતે જે પર્યાયરૂપે પોતે થવા માગે તે પર્યાય સ્વભાવમાંથી પ્રગટી શકે છે. જ્યાં આખો સ્વભાવ રીઝયો છે ત્યાં કેવળજ્ઞાન અને સિદ્ધપદ રૂપે થવાને બદલે “મારે તો પુણ્યરૂપે થવું છે” એમ જે કહે છે તેને માગતા જ નથી આવડ્યું. ચક્રવતીને વાસીદાનું કહે તેમ પૂર્ણ જ્ઞાન સ્વભાવ પાસેથી તે વિકારના ફોતરાની માગણી કરી ! ભાઈ રે! તે શું માગ્યું? પૂર્ણ સ્વભાવને જેણે નથી જાણ્યો તે પુણ્યની માગણી કરે છે, પૂર્વ સ્વભાવમાં તો એક સમયમાં કેવળજ્ઞાન અને સિદ્ધપદપણે થવાની તાકાત છે, તારાથી થવાય તેટલો થા, પુણ્યપણે થવું છે એમ ન માગ, સિદ્ધપણે થવાની ભાવના કર, અને જેટલો થઈ શકે
તેટલો થા, અસ્થિરતા રહી જાય તેને જાણ, પણ તે રૂપે થવાની ભાવના ન કર...! (૧૯) પર્યાયનું સામર્થ્ય બેહુદ છે તે અહીં બતાવવું છે. દ્રવ્ય-ગુણતો પૂરા છે જ પરંતુ તેની
પૂર્ણતાને સ્વીકારનાર કોણ છે? દ્રવ્ય-ગુણ પૂરા અને વર્તમાન પર્યાય પણ પૂરી છે તે પર્યાયનું જે અનંત સામર્થ્ય છે તે સામર્થ્ય ને તો જ્ઞાનની પર્યાય જ જાણે છે. જો કે જાણનાર જ્ઞાનનો ઉપયોગ તો અસંખ્ય સમયનો છે પરંતુ “અસંખ્ય સમયમાં પૂરું