________________
૪૦૫
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
હોય તો પાષાણમાં પણ અગ્નિ પ્રતિબિંબિત થવી જોઈએ, પરંતુ એમ થતું નથી. તેથી પોતાની અગ્નિની રચનાની સંપૂર્ણ સામગ્રી દર્પણના પોતાના અક્ષયકોષમાં જ પડી છે, તેને કોઈ પાસેથી કાંઈ ઉધાર નથી લેવું પડતું.
આ ચર્ચામાં એવો તર્ક પણ રજૂ કરવામાં આવે છે કે જો બહારની અગ્નિ દર્પણની અગ્નિનું કારણ ન હોય અને દર્પણમાં તે સમયે અગ્નિ-આકાર પરિણમનની સ્વતંત્ર યોગ્યતા છે તો પછી જ્યારે અગ્નિ ન હોય ત્યારે પણ દર્પણના અગ્નિ – આકાર પરિણામ થવા જોઈએ અથવા અગ્નિ સામે હોવા છતાં પણ દર્પણમાં અગ્નિ પ્રતિભાસિત ન થતાં બીજું કાંઈક પ્રતિભાસન થવું જોઈએ. વિચિત્ર તર્ક છે – જે દર્પણના સ્વભાવની સ્વતંત્રતા ઉપર એક સીધો પ્રહાર છે. જો દર્પણની સમક્ષ અગ્નિ હોય અને તે તેવી ને તેવી દર્પણમાં પ્રતિબિંબિત ન થાય તો પછી આપણે દર્પણ કઈ વસ્તુને કહીશું? વસ્તુ જેવી હોય તેવી જ તેને પ્રતિબિંબિત કરે તેને જ તો દર્પણ કહે છે. વળી જો અગ્નિના અભાવમાં પણ દર્પણમાં અગ્નિ પ્રતિબિંબિત થાય તો અથવા અગ્નિની સમક્ષતામાં દર્પણમાં અગ્નિના સ્થાને ઘટ પ્રતિબિંબિત થાય તો દર્પણની પ્રામાણિકતા જ શું કહેવાશે? તેથી અગ્નિનું પણ હોવું અને દર્પણમાં પણ સાંગોપાંગ તે જ પ્રતિબિંબિત થવું એ જ વસ્તુ સ્થિતિ છે અને એ જ વસ્તુ સ્વભાવગત અનાદિનિધન નિયમ પણ છે. એમાં પારસ્પરિક કારણ- કાર્ય ભાવથી ઉત્પન્ન કોઈ પરતંત્રતા અથવા સાપેક્ષતાને માટે રંચમાત્ર અવકાશ નથી. આ રીતે દર્પણ અને તેનો અગ્નિ – આકાર અગ્નિથી સર્વથા જુદો તથા નિર્લિપ્ત જ રહી જાય છે.
દર્પણની જેમ જ્ઞાન પણ શેયથી અત્યંત નિરપેક્ષ રહીને પોતાના શેયાકારના ઉત્પાદ- વ્યય કરે છે. જ્ઞાનના આ શેયાકારને જ્ઞાનનો અતત્ સ્વભાવ કહે છે. બીજા અનેક શેયોના આકારે પરિણમીને પણ પ્રત્યેક શેયાકારમાં જ્ઞાનત્વની ધારાવાહિકતાનો કદી ભંગ થતો નથી. અર્થાત્ જ્ઞાનનો પ્રત્યેક શેયાકાર પરિણામ જ્ઞાન - સામાન્યનો અન્વયે અખંડ તથા અપરિવર્તિત છે. જ્ઞાનના પ્રત્યેક શેયાકારમાં જ્ઞાન જ પ્રતિધ્વનિત થાય છે, તેને આગમમાં જ્ઞાનનો ‘ત” સ્વભાવ કહ્યો છે. પોતામાં અનંત લોકાલોકરૂપ ચિત્ર – વિચિત્ર શેયાકાર નિયત સમયમાં ઉત્પન્ન કરવામાં જ્ઞાન અત્યંત સ્વતંત્ર છે. આમાં તેને લોકાલોકની કોઈ અપેક્ષા નથી. ન તેને લોકમાંથી કાંઈ લેવું પડે છે કે ન કાંઈ દેવું પડે છે. જ્ઞાનમાં જે લોકાલોક પ્રતિબિંબિત થાય છે, જ્ઞાનના તે શેયાકારની રચના જ્ઞાનની ઉપાદાન સામગ્રીથી થાય છે, લોકાલોકરૂપ નિમિત્તનું તેમાં જરાય કારણપણું નથી. તેથી જ્ઞાન લોકાલોકને જાણે છે એ કથન વ્યવહાર જ છે. વાસ્તવમાં જ્ઞાન શેયોન્મુખ ન હોતાં સ્વતંત્રરૂપે પોતાના શેયાકારોને જ જાણે છે. જેમ આપણે કોઈ મહેલની કલ્પના કરીએ છીએ. મહેલ તો પાષાણનો બનેલો હોય છે પરંતુ આપણી કલ્પનાનો મહેલ તો આપણી કલ્પનાથી જ બનેલો છે, પાષાણથી નહિ.
એ જ રીતે જ્ઞાનના શેયાકાર સર્વ જ્ઞાનની જ સૃષ્ટિ છે અને તે શેયથી અત્યંત ભિન્ન જ રહે છે તથા જગતમાં શેય છે તેથી જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે એ તર્ક જ