Book Title: Mandir Pravesh Ane Shastro
Author(s): Chandrashankar Pranshankar Shukla
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 349
________________ હિંદુ સમાજની પ્રતિજ્ઞા " · વખતની સરકાર મદિરાની મિલકત, તળાવ, કૂવા, વગેરે જે સ્થળે પ્રજાને અણુ થયાં હેાય તેની રક્ષાં કરતી; અને તેની બાબતમાં દેખરેખ રાખવાની તથા ભૂલ કે દેષ થતાં ય તે સુધારવાની જે સત્તા એ સરકારને હતી તેના ઉપયાગ તે કરતી.’૩ છે. પ્રાચીન કાળથી ( ઈ. સ. પૂર્વે ત્રીજા કે બીજા સૈકાથી ) ધર્મસ્થાનાના વહીવટ કરનારી સમિતિ ગાષ્મી નામે એળખાતી, તે તેના સભ્ય ગાષ્ઠિક કહેવાતા. સાંચીના શિલાલેખમાં ધગાડી' (બૌદ્ધ ગેાઠી) ના નિર્દેશ છે. આયુના શિલાલેખમાં ધ સ્થાનના વહીવટ કરનારી સમિતિના શ્રાવક સભ્યાનાં નામ આપેલાં છે, અને કહ્યું છે કે તેમણે તથા તેમના વંશોએ નાન, પૂજા વગેરેને વિધિ હંમેશાં ચાલુ ' રખાવવા.૪ કેટલાક શિક્ષાલેખેામાં મંદિરના અધ્યક્ષને સ્થાનપતિ ' કહેલા છે. મહાકાસલના સિરપુર ગામમાં ઈ. સ. ના રમા કે ૯મા સૈકાના, મહાશિવગુપ્તને, શિલાલેખ છે, તેમાં લખેલું છે કે જે માણસેાને ધર્માર્થે મિલકત દાનમાં આપેલી છે. તેમના પુત્રપૌત્રાને એ મિલકતના અમુક ભાગના વારસા તે જ મળી શકે જો તેઓ સુપાત્ર હાય, અગ્નિહેાત્ર રાખતા હૈાય, છ વેદાંગના અભ્યાસી હોય, વ્રત વેશ્યા વગેરેની લત વગરના હાય, અને નાકરી ન કરતા હાય. વળી લખ્યું છે કે જે ધર્માદાની મિલકતના વારસમાં આ ગુણ્ણા ન હેાય અથવા તે અપુત્ર મરી જાય, તે તેના ભાગ તેના કાઈ સુપાત્ર સગાને આપી શકાય; એ માણસ આધેડને વિદ્વાન હાવા જોઈએ, તેની પસંદગી માંહેામાંડે સમજૂતીથી કરી શકાય, તે તેને માટે રાજાને ખાસ હુકમ મેળવવાની જરૂર નથી. આ છેલ્લી વાત કહેવી પડી, કેમ કે સાધારણ રીતે એવી બાબતમાં રાજાને હુકમ મેળવવા પડતા હશે. દેવસ્થાનેાની જમીન યા બીજી મિલકતા માટે મદિરના વહીવટદારેા કે મૂળ માણસના વારસેામાં ઝધડા પડે ત્યારે પૂનાની પેશવાઈ સરકાર વચ્ચે પડતી એમ બતાવનારા દાખલા નોંધાયેલા છે. ઈ. સ. ૧૭૪૪માં પેશવાએ ચ`ચવડ સંસ્થાનની આબતમાં ચુકાદા આપેલે; તેમાં એમ ઠરાવેલું કે મંદિરની અડધી મિલકત કેવળ પૂજાવિધિ ને ધર્માંદાના કામ માટે અલગ રાખવી, તે - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ३२५ ક www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376