Book Title: Mandir Pravesh Ane Shastro
Author(s): Chandrashankar Pranshankar Shukla
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 354
________________ VI મ’દ્વિરપ્રવેશ અને શાસ્ત્રા અસ્પૃશ્યતાને લગતાં, બધાં વચને ભેગાં કરીએ, તે। હિંદુ સમાજમાં કાઇ માણસ એવા ન નીકળે જે એક યા બીજા શાસ્રવચન અનુસાર અસ્પૃશ્ય ન ગણાય. એટલે આપણે જો શાસ્ત્રાને અનુસરવા માગતા હાઈ એ, તે આપણે બધા અસ્પૃશ્ય છીએ, તે આપણે એકબીજાને ન જ અડવું જોઈએ. પણ આપણા સમાજે આ બાબતમાં શાસ્ત્રોને ગણકાર્યા નથી; અને શાસ્ત્રોમાં અસ્પૃશ્ય ગણાવેલી અનેક જાતિઓને સ્પૃશ્ય બનાવી છે. જે નિયમ અનુસાર કેટલીક જાતિએ અસ્પૃશ્ય મીને સ્પૃશ્ય થઈ, તે જ નિયમ અનુસાર બાકીની બીજી જાતિઓને સ્પૃશ્ય ગણવામાં બાધ ન હેાવા જોઇ એ. જન્માંડાલ પણ અમુક ક્રિયાથી અથવા વૈષ્ણવ કે શૈવ સંપ્રદાયમાં દાખલ થવાથી શુદ્ધ થઈ અસ્પૃશ્ય મટી જાય છે, એમ શાસ્ત્રમાં જ બતાવ્યું છે. ૬. રામાયણ, મહાભારત, ગીતા, ભક્તિસૂત્રે, તે ભાગવત એમાંથી એકમાં કાઈ પણ ખાતે અસ્પૃશ્ય નથી. એ જાતની અસ્પૃશ્યતાને વિચાર જ એ ગ્રન્થેામાં નથી, એમ બતાવનારા પુષ્કળ પુરાવા એની અંદર પડેલા છે. નિષાદ, ચાંડાલ વગેરે સ્પૃસ્ય હતા. એમને હલકા ગણવા સામે પણ ભાગવત પુરાણે તે ભાગવત ધમે બળવાને પાકાર ઉડાવેલા. ભાગવતધમતા આખા ઝાક જ ઊં’ચનીચપણું ભૂંસવા તરફ છે. ઈશ્વરની નજરમાં કાઈ ઊંચનીચ ન હાઈ શકે, ભક્તિ કરવાના અધિકાર માણસમાત્રને છે. ૭. જે સ્મૃતિગ્રન્થાએ અસ્પૃશ્યતા બતાવી છે તે જ ગ્રન્થાએ તેમાં કરવાના અગત્યના અપવાદ પણ બતાવ્યા છે. યાત્રા અને દેવદિરમાં આભડછેટ પાળવાને સ્પષ્ટ નિષેધ છે. દેવમ ંદિરમાં આભડછેટ હાઈ શકે જ નહીં. ત્યાં કાઈ માણસને અસ્પૃશ્ય માનવું એ પાપ છે. વહેવારમાં ઘણી જગાએ આભડછેટને ઊંચી મુકાય છે, એમ આજે પણ જોવામાં આવે છે. એ તેા સગવડયે। ધમ થયેા. આપણે જો શાસ્ત્રને અનુસરનારા હાઈએ, તે શાસ્ત્રનાં સવ વચનેને,. સ` કાળે, તે સર્વ સ્થળે અનુસરવું જોઈએ. આપણી સગવડે શાસ્ત્રાને અનુસરીએ તે સગવડ ન હોય ત્યાં શાસ્ત્રને ઊંચાં મૂકીએ, તે આપણાથી શાસ્ત્રનું નામ આગળ કરીને દલીલ કરી ન શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376