Book Title: Mahavir Thui Author(s): Sumtilal Jivraj Shah Publisher: Sumtilal Jivraj Shah View full book textPage 9
________________ શ્રાવિકા રૂપ, ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, ધર્મ દેશના આપી ભવ્ય અને ઉધ્ધાર કર્યો, તે સમર્થ મહા પુરૂષના સકળ ગુણોનું સ્તવન કરવાને બૃહસ્પતિ કે સરસ્વતી પણ શકિતમાન નથી, તે પણ ભવ્ય જીવાને માટે ગણધર મહારાજે યતકિંચિત ગુણોનું સંસ્તવન સુયગડાંગ સુત્રના છઠ્ઠા અધ્યયનમાં કર્યું છે તે સ્તુતિ અર્ધ માગધી ભાષામાં હોવાથી સાધારણ લોકો ઉચ્ચાર બરાબર ન થવાને લીધે તથા અર્થની સમજણ ન પડવાને લીધે પુરેપુરે લાભ લઈ ન શકે એ સ્વભાવિક છે. આથી તે સ્તુતિને ગુજરાતી ભાષામાં ઉતારવાને ભાઈ સુખલાલભાઈને આ પ્રયાસ છે. મહાવીર સ્તુતિમાં પહેલું પદ છિgo છે. તે ઉપરથી તેનું નામ પુરિછસુણું તરીકે પ્રસિદ્ધ છે. ઘણા ભાવિક જનોને તે કઠે હોય છે. તેની મૂળ ર૯ ગાથાઓ છે. અનુવાદમાં ૫૭ ગાથાઓ થઈ છે એટલે કે ગાથાને અનુવાદ ત્રણ પદમાં, કેઈને બે પદમાં, અને કેઈને એક પદમાં ઉતાર્યો છે. જે ગાથાને ભાવ જેટલામાં સમાવેશ થવા પામે તેટલા તેટલા પદમાં ઉતારવામાં આવે છે. જેમ બને તેમ સરળ બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યે છે. અને મને આશા છે કે મુમુક્ષેઓને આ કાવ્ય ભાષાંતરથી લાભ થશે વાંકાનેર. રત્નાક. ના ૫–૧૨–૧૯૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26