Book Title: Mahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay

View full book text
Previous | Next

Page 267
________________ પ્રકરણ ૩ જું સૂરિશ્વર અને સમ્રાટ જેમને જેમને પિતાને સંકટ સમયે મદદ કરી હતી તે સને-કરેલ સેવાને બદલે મહારાજા કુમારપાળે રાજ્યની પ્રાપ્તિ સમયે ઘણીજ સુંદરતાથી વાળી આપો, અને પિતે આપેલ વચન પાળ્યા. પણ દૈવિક ગ ગણે. યાત ભવિતવ્યતાને કારણે પિતાના સાચા ઉપકારી અને અભયદાતા, શ્રી હેમચંદ્રા ચાર્યજીને બાર વર્ષ સુધી રાજવી વિસરી ગયાં. કે ઉપકારી સુરિશ્વરજી કુમારપાળ રાજવીને ભુલ્યા ન હતા–સૂરિશ્રી આ બાર વર્ષના કાળ દરમિયાન પાટણના વડા ઉપાશ્રયમાં રહી જન સાહિત્યની એવી તે અવિરત સેવા બજાવી રહેલ હતા કે જાણે તેમને જન્મ-માત્ર ગુજર સાહિત્યના સ જનાર્થે, તેમજ દેશને સંસ્કારી બનાવવા અર્થેજ થયે ન હોય ? સુરિશ્રી કુમારપાળને બચાવ કરે છે. એક સમયે સૂરિશ્રીએ સવારના યોગ ધ્યાનથી મુક્ત થઈ તુરતજ ઉષ્યન મંત્રિને બોલાવી કહ્યું કે,-હે મંત્રિધર? આજે આપ કુમારપાળ રાજવી પાસે જઈ મારૂ નામ દઇ કહે કે, તેઓ “આજે નવી રાણીના મહેલે જાય નહિ, કારણ મધ્ય રાત્રીએ ત્યાં પ્રાણઘાતક ઉપસર્ગ થવાને છે." ઉષ્યન મંત્રિએ સરિશ્રીને સંદેશ મહારાજાને જાતે જઈ પહોંચાડશે. બાર વર્ષે પણ સરિશ્રી પોતાના જીવન રક્ષા અર્થે, પ્રતિબંધ કરી રહેલ છે જાણી, મહારાજા કમારપાળ અત્યંત સાનંદાશ્રમમાં પડ્યા. તેજ દીવસે બરાબર મધ્યરાત્રીએ-નવીરાણીના મહેલમાં વીજળી પડી ને રાણીને સવર્ગવાસ થયે. ભોપાલદેવીના મહેલે રહી નવીરાણીના મહેલની પળે ખબર મેળવનાર-ગુર્જર નરેશને મેષ રાત્રીએ ખબર મળી કે,-રાજમહેલ વિજળી પડવાથી-કડકડાટ સાથે તુટી પડે છે. જેમાં રાણીસાહેબને દુઃખદ સર્વગવાસ થયો છે.

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286