Book Title: Madan Dhandev Ras
Author(s): Ramnikvijay Gani
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
View full book text
________________
૫. શ્રી રમણીકવિજયજી : શ્રી પદ્મવિજયજી વિરચિત મદન-ધનદેવરાસ
૧૭
ઃઃ
મે... પક્ષીની અવસ્થામાં તથા ખીજી રીતે પણ જે દુઃખ ભાગવ્યુ' છે તે તમારા દુઃખથી વિશેષ છે.” મદન કહે, “ હવે તા આ સંસાર જ દુઃખમય છે એમ જાણીને આપણે આત્મ હિત કરવુ ચાગ્ય છે. આ વખતે ત્યાં વિમળબાહુ નામના ગુરુ પધાર્યા. અને ભક્તિથી ગુરુની પાસે બેઠા. ગુરુએ ધ દેશના આપી સંસારનુ` સ્વરૂપ સમજાવ્યુ'. દેશના સાંભળીને બન્નેએ એમની પાસે દીક્ષા અ’ગીકાર કરી. સવેગ ધારણ કરીને વિહાર કરતા બન્ને વિવિધ પ્રકારનું તપ અને છેવટે અનશન કરીને સૌધમ દેવલેાકમાં દેવ થયા.
સેાળમી ઢાળ—ત્યાંથી મદનના જીવવિજયપુરમાં સમરસેન રાજાની વિજયાવતી રાણીથી મણિપ્રભ નામે પુત્રરૂપે ઉત્પન્ન થયા, અનુક્રમે પિતાએ તેને ગાદી પર બેસાર્યાં. ચિરકાળ રાજ્યલક્ષ્મી ભાગવી, એક દિવસ કરમાઈ ગયેલા કમળવનને જોઈને પ્રતિખાધ પામી, પેાતાના પુત્રને રાજ્ય સોંપી જિનેશ્વરસૂરિ પાસે એ દીક્ષિત થયેા. મણિપ્રભ રાજિષ અધિજ્ઞાન પામ્યા ને આકાશગમનની શક્તિવાળા થયા.
સત્તરમી ઢાળ-ધનદેવના જીવ વૈતાઢચ પતના રથનૂપુરચક્રવાલ નગરમાં મહેન્દ્રસિ'હુ નામે વિદ્યાધર-ચક્રવતી થયા. તેને રત્નમાલા નામની પટરાણી હતી. તથા રત્નચૂડ અને મણિચૂડ નામે પુત્ર હતા. એક વખત ચક્રવતીની પ્રિયા મહાભ્યાધિથી મરણ પામી. રાજા તેનુ' રક્ષણ ના કરી શકયો. તે મેહવશ થઈ વિલાપ કરવા લાગ્યું.
અઢારમી ઢાળ—આ વૃત્તાંત અવધિજ્ઞાનથી જાણી મણિપ્રભ મુનીશ્વર આકાશગામિની લબ્ધિથી અને પૂર્વભવના સ્નેહના વશથી તેના નગરમાં ગયા. ત્યાં ચક્રવતી વદન કરીને તેની સન્મુખ બેઠા. મુનિએ સંસારનું સ્વરૂપ સારી રીતે સમજાવ્યું.
ઓગણીસમી ઢાળ——ત્યાર પછી વિદ્યાધરે મણિપ્રભ મુનિને કહ્યું : “ તમારા પર મને બહુ સ્નેહ થાય છે તેનું શું કારણ ?” તે વખતે મુનિરાજે ધનદેવ અને મદનના પૂર્વભવ કહ્યો. પૂર્વભવની સ્ત્રીઓનું ચરિત્ર સાંભળીને વિદ્યાધર પ્રતિબોધ પામ્યા અને પુત્ર રત્નચૂડને રાજ્ય સાંપી પેાતે દીક્ષા ગ્રહણ કરી. વિદ્યાધર રાજિષ આગમના અભ્યાસ કરી ઉગ્ર તપ તપી અનેક લબ્ધિના ભંડાર થયા. અનુક્રમે બન્ને મુનિરાજ શુકલધ્યાન કરતાં કરતાં કેવળજ્ઞાન પામીને મેાક્ષસુખ પામ્યા.
આ પ્રમાણે હું સુજ્ઞ પુરુષા, મદન-ધનદેવની જેમ વિષયસુખને દુઃખરૂપ માની તેનાથી વિરક્ત થઈ ચારિત્ર અગીકાર કરીને અનુક્રમે મેાક્ષસુખ પામેા.
Jain Education International
મદન-ધનદેવ-રાસ
॥ ૐ હ્રી અહું નમઃ ॥
મા દુહા તા
વિહરમાન પ્રભુ રાજતા, વંદુ જિનવર વીસ !
પદંકજ પ્રણમુ પાસના, જેહની ચડતી જંગીસ ।। ૧ ।। ગુણદાયક ગુણુસ્યું ભર્યાં, પ્રણમું ગુરુના પાય । ભમતાં જે ભવસાયરે, પ્રવણ સમ પરખાય ।। ૨ ।।
For Private & Personal Use Only
www.jainelibrary.org