Book Title: Kavya Sangraha Part 7
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્પષ્ટ સમજાય છે. શ્રીમદ્ ગુરૂરાજનું મુનિ જીવન છે અને તેને મની જીદગી ધાર્મિક પ્રવૃત્તિ અને ધાર્મિક નિવૃત્તિમય છે. તેને મના હૃદયમાં ધાર્મિક વિચારોનાં ચિત્ર ચિતરાયાં છે તેથી તેમના કાની પાસે જતાં, અને તે કાની અન્તર પ્રવેશીને કાવ્યની ઉપાસના કતાં, શાન્ત રસનું આસ્વાદન થાય છે. અને તેથી સ્વાત્મજીવન સુધારવા માટે અનેક વિચારેને આ ચારમાં મૂકતાં ઉત્સાહ વધે છે. કાવ્ય એ જ્ઞાનિ કવિની જીવતી પ્રતિમા છે. કાવ્ય એ વિચાર અને આચા રેને ભડાર છે. ' ગ્રીસદેશને સિમેનિડિઝ કવિ કહે છે કે “કાવ્ય છે તે બોલનારૂં ચિત્ર છે, અને ચિત્ર છે તે મુગુ કાવ્ય છે” ચિત્ર કલા એ કાવ્યકલા કરતાં ભિન્ન અને ઘણે ભાગે સ્વતંત્ર છે અને તેને તથા કાવ્યને એક બીજા સાથે સંબંધ હેતે નથી, પરંતુ જે કાવ્ય ખરૂં છે તે ચિત્ર આદિકલાઓની મદદથી મનહર થઈ શકે છે. કવિ પિતાની વાણીથી ચિત્ર કાઢે છે, મૂર્તિ બનાવે છે, તથા સુંદર મંદિરો ઉઠાવે છે. કેલરિજ કહે છે કે “જે કાવ્ય જેટલા ભાવથી નિર્મિત કરેલું હોય છે તેટલાજ પ્રમાણથી તે કાવ્ય અંતઃકરણને માહિત કરે છે. મિલટન જણાવે છે કે “ઉત્તમ વિષય પર સામાન્ય ગ્રન્થ રચી, લોકેનાં માથાં હલાવીશ; એમ જે કોઈ કહે તે તે પિતે કવિ હે જઈએ.” પ્લેટેએ લખ્યું છે કે “કવિતાદેવીના પ્રસાદને અને સ્કુતિને જેને સ્પર્શ થયો નથી તે જે ચમક સાધવાને કૃત્રિમ ગુણ પોતાનામાં હેવાથી તેના મન્દિરમાં પ્રવેશ કરશે તે તેને અને તેના કાવ્યને ત્યાં પ્રવેશ થશે નહિ.” જેવા તેવા સાધારણ કવિઓનાં નામે નાશ પામે છે અને તેમની કૃતિને પણ લેક વિસરી જાય છે, પણ જેઓ મહાકવિ છે તેમનાં કાવ્ય અમર થાય છે. ઉમાસ્વામિ, હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રસૂરિ, શ્રી ધનંજ્ય કવિ, ધનપાલ કવિ, શ્રીમદ્ થશેવિજયજી ઉપાધ્યાય, શ્રીમદ્ આનન્દઘનજી, શ્રીમદ દેવચન્દજી; For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 160