Book Title: Karmagranthashatkavchurni
Author(s): Gunratnasuri, Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 2
________________ જો : : : : : : : : : : પ્રસ્તાવના . . . . * . * ભલે ભકત કવિ ચંડીદાસ “વાર રે માગુ તત્વ, સાફા પર વછુ ના કહેવા દ્વારા માણસને (પુરુષાર્થને) મહાન કહે. ભલે ગોસ્વામી સંત તુલસીદાસ સ યાન વિષ કરી પીવા, ન ડું સ તસ રાઈ રાવ રામચરિતમાનસ કહીને આખા વિાને કર્મના કાયદાના આધારે ચલાવે. જાન્ટેન પર્વ મતે મનુષ્ય [શાતિપર્વ કહેવા દ્વારા મહાભારતકાર ભલે કાળને પ્રવાનતા આપે. ; શપટલન પ્રજાપતિ તપે? કલોક દ્વારા બુદ્ધચરિતમાં અશ્વઘોષ સ્વભાવને ભલે મુખ્ય કારણ ગાગે. “વફા વિર્ય દ્વારા સુભાષિતકાર નિયતિને ભલે પ્રધાન ગાગાવે. પા જૈન દર્શનમાં પ્રત્યેક કાર્યની પાછળ આ પાંચે પાંચ કારાગ માનવામાં આવ્યા છે. હા, કોઈ કાર્યમાં કર્મની પ્રધાનતા હોય અને બીજા ચાર કારાગની ગૌણતું હોય, તો કોઈ કાર્યમાં ભવિતવ્યતા પ્રધાન હોય અને બીજા ચાર કારાગ ગૌગ હોય એવું બને. આપણે અહીં કર્મ ને પ્રધાનતા આપીને વાત કરીએ. એકજ દિવસે એક સાથે બે છોકરાનો જન્મ થવા છતાં એક છોકરો હોંશિયાર થાય છે અને બીજો સાવ બુદ્ધ પાકે છે. આનું કારણ શું? એક બાપે પોતાના બંને દીકરાને સરખે ભાગે મૂડી વહેંચી, બંને ભાઈઓએ એક સરખા ધંધામાં ઝંપલાવ્યું, એક સરખો પ્રયત્ન કર્યો, છતાં એક કરોડપતિ થાય છે અને બીજે રોપતિ બને છે. આનું કારાગ શું? એક જ દિવસે શુભમુહૂર્ત બે કન્યાઓ સુખી ઘરમાં પરણવા છતાં એકનું સૌભાગ્ય અખંડ રહે છે અને બીજીનું તરત જ નંદવાઈ જાય છે. આનું કારણ શું? એકજ સરખા દર્દથી પીડાતા બે દદીઓએ એક સરખી દવા લેવા છતાં એક દદી સાજો થઈને લાંબુ જીવે છે, જ્યારે બીજો એ દવા લીધા પછી થોડી જ વારમાં મૃત્યુ પામે છે. આનું કારણ શું? આ તમામ પ્રશ્નોને ટૂંકમાં જવાબ આપવો હોય તો માત્ર અફ્રી અક્ષરમાં આપી શકાય. આ અઢી અક્ષરનો જવાબ છે કર્મ. માંદા પડેલા ભાઈને ડોકટર કે વૈદ્ય પાસે લઈ જશો તો તે કહેશે કે વાત-પિત કે કફનો પ્રકોપ થયો છે. જોષી પાસે લઈ જશો તો કહેશે કે અમુક ગ્રહો નડે છે, માત્રક કે ભૂવા પાસે લઈ જશો તો કહેશે કે ભૂત-પ્રેતનો વળગાડ છે અને સાધુભગવંત પાસે લઈ જશો તો તેઓ કહેશે કે અશુભ કર્મને

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 220