Book Title: Karmagrantha Part 5 Shataka Nama
Author(s): Devendrasuri, Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 497
________________ પાંચમો કર્મગ્રંથ પણ તેટલા જ કાળમાં ત્યાં જ બીજી સ્થિતિમાં રહેલી સૂક્ષ્મકિટ્ટિઓમાં સંક્રમાવે છે. આ રીતે એક સમયન્યૂન બે આવલિકા કાળે બાદરલોભની સત્તા વિચ્છેદ પામે છે.. ૪૬૪ બીજી સ્થિતિમાંથી પહેલી સ્થિતિમાં લાવેલી ત્રીજી કિટ્ટીનું સૂક્ષ્મટ્ટિ રૂપે કરાયેલું કર્મદલિક વેદતો વેદતો અને તે દ્વારા સં.લોભનો ક્ષય કરતો કરતો આ જીવ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગો જાય અને એક સંખ્યાતમો ભાગ રહે ત્યાં સુધી જાય છે. હજુ સંજ્વલન લોભ (સૂક્ષ્મકિટ્ટિરૂપે કરાયેલો) ઘણો બાકી છે અને દશમું ગુણસ્થાનક અલ્પકાળ બાકી છે. ત્યારે જેમ ચક્રવર્તી રાજા સામેનો શત્રુ રાજા કોઇ રીતે ન જીતાય તેમ હોય ત્યારે ચક્રરત્નનો ઉપયોગ કરે છે કે જે રત્ન શત્રુરાજાને હણીને જ આવે. તેવી રીતે આ આત્મા “સર્વોપવર્તના” નામના અપવર્તનાકરણ વડે સંજ્વલન લોભને અપવર્તાવીને (ઘટાડીને) બરાબર સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના કાળપ્રમાણ જ કરે છે અને ક્રમશઃ ઉદય અને ઉદીરણા વડે વેદી વેદીને નિર્જરા કરે છે. ત્યારથી સં. લોભના સ્થિતિઘાતાદિ કાર્યો વિરામ પામે છે. પરંતુ જ્ઞાનાવરણીયાદિ શેષ ૬ કર્મોના સ્થિતિઘાતાદિ ચાલુ જ રહે છે. હજુ દશમું ગુણસ્થાનક અંતર્મુહૂર્ત કાળપ્રમાણ બાકી છે. સત્તામાં રહેલા કર્મની જેટલી સ્થિતિ બાકી હોય તે તમામ સ્થિતિને એકીસાથે સામટી ઘટાડી દેવી તેને સર્વોપવર્તના કરણ કહેવાય છે. ગાથા : ૯૯-૧૦૦ આ રીતે સર્વાપવર્તનાકરણ વડે અપવર્તના કર્યા પછી સંજ્વલન લોભને ફક્ત ઉદય અને ઉદીરણા વડે વેદતો વેદતો આ જીવ સૂક્ષ્મસં૫રાયનો સમયાધિક એક આવલિકા કાળ બાકી રહે ત્યાં સુધી જાય છે. ત્યારબાદ ઉદીરણા વિચ્છેદ પામે છે. અને તે અન્તિમ એક આલિકામાં ઉદીરણા વિનાના કેવળ ઉદયમાત્ર વડે સંજ્વલન લોભને વેદીને સમાપ્ત કરે છે. તે જ અન્તિમ સમયે સંજ્વલન લોભનો ઉદય અને સત્તા એમ બન્ને સમાપ્ત થાય છે. તથા તે જ ચરમસમયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512