Book Title: Kaliyugni Kamal Kumarpal Shah
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 17
________________ કુમા૨માં, ધર્માત્મ કડી માની માણસ સોથાં ભલે વચરત પેદા કરે છે પણ અશૈવ સોહે વમળને ધોળાને શ્રી જઇને કુમળા પણ કરે છે. આપણે આ અઘર જેવા જ બનવાનું કે અશુભ કર્યાં આપણાં લમણે ભલે કો ઝોકતા રહે, ખાબો તો શુભ અધ્યવસાયમાં ન ઝીંલસા રહેવાનું રત્નસુંદરસૂિ ધર્મ પા & ૧૭) એ ચાતુર્માસ મારું ભુજ [કચ્છ માં હતું. ચાતુર્માસ દરમ્યાન યોજાયેલ પાંચ રવિવારીય યુવા શિબિરો દેવ-ગુરુ કૃપાએ મસ્ત જામી હતી. છેલ્લી શિબિરમાં યુવાનોને એક અભિનંદનપત્ર આપવામાં આવ્યું હતું. એ અભિનંદન પત્રના આગળનાં પાના પર મારી પ્રવચનો કરતી વિવિધ મુદ્રાઓવાળી પ્રતિકૃતિઓ છપાઈ હતી. કુમારપાળ ! એ પ્રતિકૃતિઓવાળું કાર્ડ મેં તમારા પર એ આશાએ મોકલ્યું હતું કે તમે એ કાર્ડ મળવા બદલ મારા પર ચોક્કસ આભાર વ્યક્ત કરતો અને અભિનંદન આપતો પત્ર લખશો જ, પણ મારી એ આશા વ્યર્થ તો નીવડી જ પણ કુમારપાળ, એ કાર્ડ મળ્યાના પ્રત્યુત્તરરૂપે તમે મારા પર જે શબ્દો લખ્યા હતા એ શબ્દો આજે ય મારા સ્મૃતિપથ પર એવા ને એવા જ અંકિત થયેલા છે. તમે મને લખ્યું હતું કે 'મને આપની આ પ્રવૃત્તિ ગમી નથી. પ્રભુશાસનનું અનંત ઋણ આપણાં શિરે છે. એ ઋણથી યત્કિંચિત્ મુક્તિ મેળવવા આપણે પાત્ર જીવોને પ્રભુ માર્ગે જોડવા પ્રયાસો કરીએ છીએ. એ પ્રયાસો બદલ અહંકારનું આવું તુચ્છ પ્રદર્શન આપને શોભા આપતું નથી.' કુમારપાળ ! મારા આત્મહિતની કેવી ચિંતા તમે લઈને બેઠા હશો ત્યારે તમે મને આવું લખી શક્યા હશો. સાથે જ તમારો એ વખતનો પ્રત્યેવર મારા માટે આજે ય એટલો જ માર્ગદર્શક બની રહ્યો છે ! ૩૩

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50