Book Title: Jivan Kala
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 319
________________ શ્રીમદ્ રાજચદ્ર જીવનકળા યાજના ચાલ્યા કરે છે; ત્યાં જોગ્યતાના અવકાશ કયાંથી હાય? આમ ન થાય તેટલા માટે થયેલાં કાર્યના ઉપદ્રવને જેમ શમાવાય તેમ શમાવી, સર્વ પ્રકારે નિવૃત્તિ (એ વિષેની) કરીયે।ગ્ય વ્યવહારમાં આવવાનું પ્રયત્ન કરવું ઉચિત છે. ‘ન ચાલતાં' કરવા જોઇએ, અને તે પણ પ્રારબ્ધવશાત્ નિઃસ્પૃહ બુદ્ધિથી, એવા જે વ્યવહાર તેને ચેાગ્ય વ્યવહાર માનજો.” (૨૩૨) ૩૦૬ શાસ્ત્રોને વિષે આ કાળને અનુક્રમે ક્ષીણપણા યાગ્ય કહ્યો છે; અને તે પ્રકારે અનુક્રમે થયા કરે છે. એ ક્ષીપણું મુખ્ય કરીને પરમાર્થ સંબંધીનું કહ્યું છે. કાળાષ જે કાળમાં અત્યંત દુર્લભપણે પરમાર્થની પ્રાપ્તિ થાય તે કાળ દુષમ કહેવા યાગ્ય છે; જો કે સર્વ કાળને વિષે પરમાર્થપ્રાપ્તિ જેનાથી થાય છે, એવા પુરુષોના જોગ દુર્લભ જ છે, તથાપિ આવા કાળને વિષે તે અત્યંત દુર્લભ હોય છે. જીવાની પરમાર્થવૃત્તિ ક્ષીણપરિણામને પામતી જતી હોવાથી તે પ્રત્યે જ્ઞાનીપુરુષના ઉપદેશનું બળ ઓછું થાય છે, અને તેથી પરંપરાએ તે ઉપદેશ પણુ ક્ષીણુપણાને પામે છે, એટલે પરમાર્થમાર્ગ અનુક્રમે વ્યવચ્છેદ થવા જોગ કાળ આવે છે. આ કાળને વિષે અને તેમાં પણ હમણાં લગભગના સેંકડાથી મનુષ્યની પરમાર્થવૃત્તિ બહુ ક્ષીણપણાને પામી છે, અને એ વાત પ્રત્યક્ષ છે. સહજાનંદ સ્વામીના વખત સુધી મનુષ્યમાં જે સરળવૃત્તિ હતી, તે અને આજની સરળવૃત્તિ એમાં મેટો તફાવત થઇ ગયા છે. ત્યાં સુધી મનુષ્યાની વૃત્તિને વિષે કંઈ કંઈ આજ્ઞાંકિતપણું, પરમાર્થની ઇચ્છા, અને તે સંબંધી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340