Book Title: Jivan Kala
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 331
________________ ૩૧૮ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા પ્રથમ “પરમકૃત પ્રભાવક મંડળ” દ્વારા પ્રસિદ્ધ થયેલા “શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તકના સંગ્રાહક સ્વ. શ્રી અંબાલાલભાઈએ ઘણાખરા મુમુક્ષુઓ પાસેથી શ્રીમના પત્રે મંગાવી પુસ્તકાકારમાં તેને ઉતારી શ્રીમદ્ભા સ્વહસ્તે ઘટતે ફેરફાર પણ કરાવી લીધો હતે. શ્રીમદ્ના નાના ભાઈ સ્વ. મનસુખભાઈ રવજીભાઈ તથા સ્વ. મનસુખભાઈ કિરતચંદ મહેતા આદિ વિદ્વાનમંડળની મદદથી તે પુસ્તકનું સંશોધનકાર્ય થયું હતું અને હાલ બીજી આવૃત્તિ રૂપે “પરમકૃત પ્રભાવક મંડળ દ્વારા તે પ્રસિદ્ધ થયું છે, તે તે ચિરકાળ સુધી શ્રીમદૂને પરિચય કરાવી ધર્મભાવની વર્ષા સદા વર્ષાવનાર મેઘમાળા જેવું ઉત્તમ સ્મારક છે. શ્રી અંબાલાલભાઈ મુમુક્ષુ જનને ઉપયોગી પુસ્તકે મંગાવી રાખી શ્રીમદુની સૂચના પ્રમાણે જે પુસ્તક જેને વાંચવા યોગ્ય હોય તેને મેકલી આપતા. ખરીદવાની ઈચ્છા હોય તે કિંમત આપી રાખી લેતા, નહીં તે અભ્યાસ કરી પાછું એકલતા. આ પ્રમાણે નાના પાયા ઉપર પણ સહેજે ઉત્પન્ન થયેલી જરૂરિયાત પૂરી પાડનાર પુસ્તકાલયની શરૂઆત થઈ ચૂકી હતી. તે સંસ્થાનું નામ “શ્રી સુબોધ પાઠશાળા” રાખ્યું હતું. ત્યાં ખંભાત અને તેની આજુબાજુના મુમુક્ષુઓ આવી સદુગ્રંથને અભ્યાસ કરતા, ભક્તિ કરતા, તથા સત્સંગને લાભ મેળવતા. હાલ તે સંસ્થા તે જ મુખ્ય હેતુને અનુસરીને કામ કરી રહી છે; એ પુસ્તકાલય અને ભક્તિસ્થાન તરીકે સત્સંગના ધામરૂપ તે બની રહી છે. શ્રીમદ્ ખંભાત પાસે વડવામાં નિવૃત્તિ નિમિત્તે ઘણી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340