Book Title: Jain_Satyaprakash 1954 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org માયાજાળ લેખક : પૂજ્ય મુનિરાજ શ્રીમહાપ્રભવિજયજી Acharya Shri Kailassagarsuri Gyanmandir અસતાષ માણસને માયાની જાળમાં કેવી રીતે ફસાવે છે અને સાષી માણસ કેવા ઉન્નત મને છે એ વાત આ કથા કહી જાય છે. ભદ્રનગરમાં પૂર્ણચંદ્ર નામે એક શેઠ રહેતા હતા. એમને પર્સન નામે શેઠાણી હતાં, સપત્તિ હતી પણ સંતાન નહેાતું. એમની નામનામાં નિઃસંતાનનું કલંક ધણીવાર એમને ડંખ્યા કરતું. લોકને વાંઝિયાનું મેણું એમના હૃદયને કારી ખાતું. શેઠ વિચારના લે ચડતા ત્યારે બબડતાઃ ́ આ સંપત્તિ શું કામ લાગશે ? આ હવેલીને કાણ ભાગવશે ? રાત-દહાડા મડ઼ેનત કરીને એકઠું કર્યું છે તે પારકા માટે ?' ચારે બાજુએ નિરાશાના હાઉ એમની સામે ઘૂરકથા કરતો. વા, દેરા-ધાગા ને મત્રત’ત્રાદિ ધણાં કર્યાં પણ શેર માટીના એમને ત્યાં વખા હતા. શેઠાણી આશ્વાસન આપતાંઃ ‘ તમે ધીરજ રાખા. ધીરજનાં ફળ મીઠાં છે. આવા વિચાશથી શરીરને શું કામ સુકાવા છે’ ' સુકાય નહિ તે શું થાય ! પૂરા પચાસની ઉંમર ધઈ, હવે શી આશા ? ' શેઠે નિરાશાના સર કાવ્યો. * હશે, કુદરતને જે ગમ્યું તે ખરું.. કંઈ વિચારાથી વેળા વળશે ?' શેઠાણીએ ગ’ભીરપણે જવાબ વાળ્યો. સમય પલટાયા, બધી ચીજોના ભાવ મેસી ગયા. શેકે અનાજની વખારા ભરી રાખેલી તે એઠા ભાવે વેચવી પડી, એમની સપત્તિનાં પૂર ઓસરવા માંડયાં. શેઠે બજાર ઉપર ધ્યાન આપવા માંડયું. ત્યારે એમના નિઃસંતાનનું કલંક ધાવાવા લાગ્યું. શેઠાણીને પૂરા નવ માસે એક બાળકના જન્મ થયા. એક દુઃખ જતાં બીજી દુઃખ એમને ઘેરી વળ્યુ, બાળક દગ્નિતા લઈને જન્મ્યા, સંતાનની ઝ ંખના હવે પૈસામાં વળગી. શેઠ હવે જેમતેમ કરીને પોતાનું ગુજરાન કરતા અને બાળકને ઉછેરવામાં ભવિષ્યની આશાએ દિવસે વ્યતીત કરતા, શેઠ અને શેઠાણી હવે ધર્મની આરાધના તરફ પણ વળ્યાં હતાં. બાળકમાં સારા સંસ્કારેશ પડે એની ચીવટ રાખતાં. ખાળકનું નામ પ્રતાપ રાખવામાં આવ્યું, પ્રતાપ ગરીબીમાં ઉર્ષ્યા અને ભણ્યા. એને એક સરખી વયના મિત્ર મળી ગયા. એનુ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28