Book Title: Jain_Satyaprakash 1952 09 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલીક જૈન અનુકૃતિઓ અને પુ ર ત વ લેખક : શ્રીયુત ડૉ. મોતીચંદ્ર એમ. એ; પીએચ. ડી. (લંડન) ભારતીય ઈતિહાસના વિદ્યાર્થીઓને અતિહાસિક અનુવૃતિઓનું મહત્ત્વ સારી રીતે જાણવામાં છે. બ્રાહ્મણ, બોદ્ધ અને જૈન અનુશ્રુતિઓથી ઇતિહાસના એવા ઝાંખા પ્રશ્નો ઉપર પણ પ્રકાશ પડે છે, જેને પુરાતત્ત્વની બદકામથી પણ હજી સુધી પત્તો લાગ્યો નથી. અશોકની પહેલાં અને પાછળ પણ ગુપ્તકાળ સુધી પૌરાણિક અનુભૂતિઓ જુદા જુદા કુળના રાજાઓનાં નામો તથા તેમના સંબંધે બીજી હકીકતની જાણે આપણને કરાવે છે. ઈ. સ. ની ચોથી શતાબ્દીથી લઈને પુરાતત્વની ભાત ભાતની સામગ્રી ઈતિહાસ નિર્માણ માટે આપણને મળી આવે છે, તેમ છતાં ભૂખે ઇતિહાસની કઠોરતામાં સજીવતા લાવવા માટે આપણે પુરાણ અને અતિહાસિક કાવ્યમાં વર્ણિત પ્રાસંગિક ગાથાઓની મદદ પણ લેવી પડે છે. પુરાતત્વ જ એક એવી વિદ્યા છે જેની મદદથી આપણે ભારતવર્ષના રીતરિવાજ, રહેણીકરણ, વ્યાપાર તેમજ ભારતીય જીવનના બીજા પ્રશ્નોને પણ ક્રમબદ્ધ ઈતિહાસ નિમણુ કરી શકીએ છીએ, પરંતુ દુઃખની સાથે કહેવું પડે છે કે, સિંધ અને પંજાબનાં પ્રાગૈતિહસિક ખેદકાને છેડીને, વૈજ્ઞાનિક અનવેષણ તરફ ભારતીય પુરાતત્તવે નામનું જ પગલું ભર્યું છે. આવી સ્થિતિમાં પણ લાચાર બનીને આપણે સાહિત્યની મદદથી જ સમાજના ઇતિહાસનું ખોખું, પછી તે સાચું હોય કે ખોટું પણ ઊભું કરવું પડે છે, કેમકે હજી સુધી અસદગ્ધરૂપે આપણું સાહિત્યનાં અમરત્નોનો પણ બરાબર કાળનિર્ણય આપણે કરી શક્યા નથી. ઐતિહાસિક અનુકૃતિઓની શેધમાં પુરાણે, કાવ્યો અને નાટકની સારી છાણવીણ થઈ ચૂકી છે. બૌદ્ધ સાહિત્યના ત્રિપિટકે, અકથાઓ, મહાયંસ અને દીર્વાસ તેમજ સંસ્કૃત બોદ્ધ સાહિત્યની બીજી પણ ઘણી કથાઓથી ભારતીય ઇતિહાસ અને પુરાતત્ત્વ ઉપર ખાસ પ્રકાશ પાડવામાં આવ્યો છે. જૈન સાહિત્યના વિષયમાં પણ આપણે આમ કહી શક્યા હોત તે કેટલું સુંદર લેખાત! કેટલાક વિદેશી વિદ્વાનોએ જેમાં બર, યાકેબી, લેયમેન તેમજ શુલ્કીંગ મુખ્ય છે તેમણે જૈન સાહિત્યનું સર્વાગીણ અધ્યયન કરવાને પ્રયાસ કર્યો છે પરંતુ જે કંઈ પણ કામ આજ સુધી થયેલું છે તે ક્ષેત્રની વ્યાપકતા જોતાં નહિવત છે. વિદેશી અને ભારતીય વિદ્વાનની કૃપાથી આપણે જૈન દર્શન અને ધર્મની રૂપરેખાથી પરિચિત બન્યા છીએ પરંતુ જેન સાહિત્ય, જેમાં ભારતના સાંસ્કૃતિક ઈતિહાસને મસાલે ભર્યો પડ્યો છે તેની તરફ વિરલાઓનું જ ધ્યાન ગયું છે. જે આપણે ધ્યાનપૂર્વક જોઈ એ તે આ ઉદાસીનતાનું કારણ સારી રીતે સંપાદિત જૈન ગ્રંથના અભાવનું છે. જૈન આગમ ઉપર ન તે ટિપ્પણુઓ જ જોવામાં આવે છે અને ન પ્રસ્તાનાઓ. અનુક્રમણિકાઓનો તે સર્વથા અભાવ રહે છે. સંપ્રદાયવિશેષના પ્રથે હોવાથી For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28