Book Title: Jain_Satyaprakash 1952 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૭ ઘટાડવામાં કોને અને ખાસ કરીને મિથ્યાત્વને મંદ બનાવવામાં આત્માનું જે પરિણામ કારણરૂપ થાય છે તેને “યથાપ્રવૃત્તિ કરણ” કહે છે. આ બુદ્ધિપૂર્વક પ્રયાસ નથી. યથાપ્રવૃતિ કરના પ્રત્યેક સમયમાં આત્મા ઉત્તરોત્તર વિશુદ્ધિ સાધતો જાય છે. એને લઈને શુભ કર્મોની જે ફળ આપવાની શક્તિ છે જે એને અનુભાગ છે તેમાં એ વધારે કરે છે અને અશુભ કર્મોતી ફળ આપવાની તાકાતને એ તોડતે જાય છે-એના અનુભાગની હાનિ કરે છે. અંતમુહૂર્ત સુધી આ કાર્ય કરી એ “અપૂર્વકરણ’ કરે છે. આના પ્રથમ સમયે જે કર્મ એટલે વખત ટકવાવાળું હેય તેટલે વખત કરતાં એ ઘણે ઓછા વખત ટકે એવી જાતને એ પ્રયત્ન કરે છે. અર્થાત્ એ કર્મોને “સ્થિતિ-વાત કરે છે. બીજુ કાર્ય એ એ કરે છે કે જેથી અશુભ કર્મોનું જે ધીરે ધીરે ઓછું થતું જાય છે એને રસ ધારે ધીરે જાણે સુકાઈ જાય છે. આને “સઘાત’ કહે છે. જે કર્મોનાં દળિયાં (દલિત)ને સ્થિતિઘાત કરાય છે તેનાં દળિયાંઓને અમુક ક્રમે સ્થાપન કરવાનું કાર્ય કરાય છે, એને “ગુણુ -ણિ' કહે છે. આ એનું ત્રીજું કાર્ય છે. આ કાર્ય દ્વારા જે લિકા કાલાંતરે ભેગવવાનાં હતાં તે દક્ષિકે જેમ બને તેમ જલદી ભગવાય અને થતાં લોકોની સંખ્યા જેમ બને તેમ ઘટે એ પ્રયાસ કરાય છે. સંદેલ આત્મા અને તેમાંયે વિકારી આત્મા તે પ્રત સમય કોઈ ને કોઈ કર્મ બાંધો. જ રહે છે – કર્મનો પિતાની સાથે સંબંધ જોડો જ રહે છે. આમાં જે શુભ કામને એ બંધ કરે છે તે રૂપે જે અશુભ કર્મો પહેલાં એણે બાંધ્યાં હતાં તેને પલટોવે છે–ફેરવી નાખે છે. આને “ગુણ-સંક્રમણ’ કહે છે. પ્રથમ સમયમાં અશુમ કર્મમાં જેટલાં દળયાં શુભ કર્મમાં સંક્રાન્ત કરાય છે તેનાથી ઉતરોત્તર સમયમાં એ અશુભ કર્મના વધારેમાં વધારે દળિયાંને શુભ કર્મનાં દળિયાં તરીકે ફેરવતે જાય છે. આ એનું ચોથું કાર્ય છે. પાંચમું કાર્ય “અપૂર્વ સ્થિતિ-બંધ' છે. આને અર્થ એ છે કે આત્મા પહેલાં જેટલી સ્થિતિવાળાં કર્મો બાંધતો હતે તેનાથી ઘણી જ ઓછી સ્થિતિવાળાં કર્મો બાંધે છે. - આમ અપૂર્વ-કરણ દ્વારા આત્મા (1) સ્થિતિઘાત, (૨) રસાત, (૩) ગુણ-શ્રેણિ, (૪) ગુગુ-સંક્રમણ અને (૫) અપૂર્વ સ્થિતિ-બંધ એમ પાંચ કાય અપૂર્વ રીતે કરે છે. અપૂર્વ-કરણની અવધિ પૂર્ણ થતાં આ અનિવૃત્તિ-કરણ કરે છે. આ વેળા પણ એ થિતિ ઘાત ઇત્યાદિ કાર્યો કરે છે, પણ એ વધારે વેગથી કરે છે. કા–પ્રદેશ–પશમણિએ આરૂઢ થનારે સૌથી પ્રથમ અનુક્રમે યથાપ્રવૃત્તિ-કરણ, “અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરે છે, અને એ દ્વારા એ અનંતાનુબંધી કષાયોને દાબી દે છે –એને તણે ઉઘાડી દે છે--બેને જાગૃત થવા દેતા નથી. ત્યારબાદ એ સાચી શ્રદ્ધામાં ખલેલ પહયાડના ત્રણ પ્રકારના દર્શન-હનીયની ત્રણે પ્રકૃતિને સમકાળે દબાવી દે છે અને ૧. જૈન દર્શન પદાર્થોને ચેતન અને જડ એમ બે વિભાગમાં વહેરો છે. જડ પદાર્થો તરીકે આકાશ, પુદ્ગલ વગેરે એ ગણાવે છે. “પુદ્ગલ” એટલે રૂપ, રસ, ગંધ અને સ્પર્શથી મુક્ત પદાર્થ. આ પુદ્ગવના ખૂબ બારીક અરો જે આખી દુનિયામાં ફેલાયેલા છે તેને વિકારી કે અધિકારી સદેહ આમા કાચિક, વાચિક અને માનસિક પ્રવૃત્તિ દ્વારા આ પિતાની સાધે એક બનાવે છે. તેમ થતાં એ અંશે " કર્મ ' તરીકે ઓળખાય છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28