Book Title: Jain_Satyaprakash 1942 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
ગ્ર બનાવવાની પાછળ પણ કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રીમદ્દ પણ તે જ ઉદેશ ઘટી શકે છે. ગ્રન્થરચનાની પાછળ બીજે કઈ પણ લૌકિક ઉદ્દેશ તેમના હૃદયમાં હતા, એ નતિની કલ્પના સ્વચ્છેદ કલ્પના છે અને એ વાત એમના જ શબ્દોમાં પજ્ઞ શ્રી યોગશાસ્ત્રના ઉપરના લેકદ્વારા જણાઈ આવે છે. ગુજરાતના રાજા સિદ્ધરાજના અત્યંત આગ્રહથી જેમ સિદ્ધહેમશબ્દાનુશાસનની રચના તેમના દ્વારા થયેલી છે, તેમ રાજા કુમારપાલના અત્યંત આગ્રહથી જ શ્રીગશાસ્ત્ર અને શ્રીવીતરાગ સ્તોત્રાદિની રચના થયેલી છે-એ જ વાતનું સમર્થન કરતાં શ્રી યોગશાસ્ત્રની પત્ત વૃત્તિના અંતમાં ફરીવાર પણ તેઓશ્રી જણાવે છે કે–
श्रीचौलुक्यक्षितिपतिकृतप्रार्थनाप्रेरितोऽहं, तत्त्वज्ञानाऽमृतजलनिधेर्योगशास्त्रस्य वृत्तिम् । स्वोपज्ञस्य व्यरचयमिमां तावदेषा च नन्धाधावनप्रवचनवती भूर्भुवःस्वस्खयीयम् ॥१॥ संप्रापि योगशास्त्रात्तद्विवृत्तेश्चाऽपि यन्मया सुकृतम् ।
तेन जिनबोधिलाभप्रणयी भव्यो जनो भवतात् ॥२॥ શ્રી ચૌલુક્ય રાજાની પ્રાર્થનાથી પ્રેરાયેલા એવા મેં તત્ત્વજ્ઞાનરૂપી અમૃતસાગરમાંથી શ્રી યોગશાસ્ત્રની પણ વૃત્તિને બનાવી છે. તે શ્રી જૈનપ્રવચનાનુસારી વૃત્તિ જ્યાં સુધી પૃથ્વી પાતાળ અને સ્વર્ગ છે ત્યાંસુધી જયવંત વર્તે.”૧.
“શ્રી ગશાસ્ત્ર અને તેની વિસ્તૃતિ બનાવવા વડે જે સુત મેં ઉપાર્જન કર્યું હોય, તેનાથી સમસ્ત ભવ્ય લોક શ્રી જિનપ્રણીત બોધિલાભ પ્રત્યે પ્રીતિવાળો બને. ગ્રન્થના અન્તમાં તેઓશ્રી ફરમાવે છે કે –
" इति श्रीपरमाहतश्रीकुमारभूपालशुषिते आचार्यश्रीहेमचन्द्रત્રિવિડજાઈનષf= સંજ્ઞાતાદૃાો છોના થપણં માવાઘરવિવાળK ”
એ રીતે પરમહંત શ્રી કુમારપાલવડે સેવાના આચાર્ય શ્રી હેમચંદ્ર રચેલા અધ્યાત્મપનિષદ્ એવા નામનો પબન્ધ પામેલા શ્રી યોગશાસ્ત્રને વિષે બારમાં પ્રકાશનું વિવરણ સમાપ્ત થયું,”
ઉપરોક્ત શ્રી હેમચંદ્ર મહારાજનાં પોતાનાં જ લખાણ પ્રસિદ્ધ કરે છે કે શ્રી કુમારપાળ રાજા પરમાઈત અર્થાત પરમ જેનધન હતા, શ્રી હેમચંદ્ર મહારાજના ચરણોના પરમ ઉપાસક હતા તથા ગ્રન્થરચનાની પાછળ એમની અભ્યર્થના જ મુખ્ય હેતુ હતી. શ્રી હેમચંદ્ર મહારાજને રાજા કુમારપાળની યોગ અર્થાત મુક્તિમાર્ગ વિષયક જિજ્ઞાસાને સંતોષવાની હતી તેમ ભવ્ય લેકને શ્રી જિનપ્રણીત ધર્મ પ્રત્યે અનુરાગી બનાવવાનો હતો.
શ્રી કુમારપાળનું જેના શ્રી યોગશાસ્ત્ર, શ્રીવીરાગસ્તોત્ર, શ્રીદયાશ્રય મહાકાવ્યાદિ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિ મહારાજના ગ્રંથરત્ન શ્રી કુમારપાળ ભૂપાળના ભવ્ય જૈનત્વની સાક્ષી આપી
For Private And Personal Use Only