Book Title: Jain_Satyaprakash 1942 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન-પ્રશ્નમાલા રચયિતા--પૂ. આચાર્ય મહારાજ શ્રીવિજ્યપદ્યસૂરિજી
(ગતાંકથી ચાલુ) ૫૫. પ્રશ્ન-અંગાદિ સોનું જ્ઞાન મેળવવામાં અપૂર્વ મદદગાર સૂત્રો કયાં કયાં કહ્યાં છે ?
ઉત્તર–શ્રીનંદીસૂત્ર અને શ્રી અનુગદ્વારસૂત્ર, આ બે સત્રનું યથાર્થ જ્ઞાન શ્રી ગુરુગમથી થયા બાદ શ્રીઆચારાંગાદિસૂત્ર વાંચતાં વિશેષ સરલતા થાય છે, નિયંતિ વગેરેમાં જણાવેલી નિક્ષેપાદિની બિના સ્પષ્ટ રીતે સમજી શકાય છે. કુંચીથી જેમ તાળું ઉઘાડી શકાય, તેમ સર્વ સૂત્રોને અભ્યાસ સરલ બનાવવા માટે શ્રીનંદી-અનુગદ્વારનું જ્ઞાન યોગ્ય અવસરે જરૂર મેળવવું જ જોઈએ.૫૫
પ૬. પ્રશ્ન-શ્રીનંદીસત્રની રચનાનું મૂલ સ્થાન કયું?
ઉત્તર-પાંચમાં શ્રી જ્ઞાનપ્રવાદપૂર્વમાંથી ઉદ્ધાર કરીને શ્રી નંદીસૂત્રની રચના થઈ છે, તેથી શ્રી નંદીસત્રની રચનાનું મૂલ સ્થાન શ્રી જ્ઞાનપ્રવાદપૂર્વ કહી શકાય.૫૬
પ૭, પ્રશ્ન– શ્રીનંદીસૂત્રના બનાવનાર કોણ? ઉત્તર–શ્રીનંદીસૂત્રના બનાવનાર પૂજ્ય શ્રીદેવવાચક મહારાજ જાણવા.૫૭ પ૮, પ્રશ્ન–શ્રીનંદીસત્રના બનાવનાર શ્રીદેવવાચક મહારાજ કોની પરંપરામાં થયા
ઉત્તર–શ્રીદેવવાચક મહારાજ પૂજ્ય શ્રી આર્ય મહાગિરિ મહારાજની પરંપરામાં થયા. તેમણે જિનકલ્પની તુલના કરી હતી. શ્રીસ્થૂલિભદ્રના મોટા શિષ્ય આર્ય મહાગિરિજી હતા, ને નાના શિષ્ય ત્રિખંડ ભરતક્ષેત્રના રાજા સંપ્રતિના ઉદ્ધારક અને પ્રતિબંધક શ્રી આર્ય સુહસ્તિસૂરિ મહારાજ હતા. ૫૮
૫૯. પ્રશ્ન–શ્રીદેવગિણિ ક્ષમાશ્રમણ મહારાજ ની પરંપરામાં થયા?
ઉત્તર–શ્રીઆસુહસ્તિસૂરિની પરંપરામાં થયા, એમ પટ્ટાવલી વગેરે ગ્રંથમાં જણાવ્યું છે. ૫૯
૬૦. પ્રશ્ન-આર્ય રક્ષિતસૂરિજી મહારાજના જન્મ વગેરેની ઘટના કઈ સાલમાં થઈ ?
ઉત્તર–જન્મ-વી. નિ. સં. પરર માં ( વિ. સં. પર માં). દીક્ષા–વી. નિ. સં. ૫૪૪ માં. સંભવે છે કે-તેમણે શ્રીભદ્રગુપ્તસૂરિજી મહારાજને વી. નિ. સં. ૫૪૮
થી ૫૭૦ ના વચગાળામાં નિઝામણું કરાવી હોય, અને વી. નિ. સં. ૧૮૪ મ (ઇસ્વીસન–૫૮ માં) ચાર અનુગ જૂદા કર્યા હોય તથા તેઓશ્રી વી. નિ. સં. ૧૯૭ માં એટલે વિ. સં. ૧૨૭ માં (ઇસ્વીસન-૭૧ માં) સ્વર્ગે ગયા છે. ૬૦
૬૧. પ્રશ્ન–ચાર કાલિકાચાર્ય મહારાજ કઈ કઈ સાલમાં થયા?
ઉત્તર–(1) પ્રભુશ્રી મહાવીરદેવના નિર્વાણ દિનથી માંડીને ૩૩૫ વર્ષો વીત્યા બાદ પહેલા શ્રી કાલકરિ મહારાજ થયા. એમનું બીજું નામ શ્યામાચાર્ય હતું. (૨) વિ. નિ. સં. ૪પ૩ માં બીજા શ્રી કાલભાચાર્ય મહારાજ થયા. તેમણે મહાસતી શ્રી સરસ્વતી
For Private And Personal Use Only