Book Title: Jain Satyaprakash 1938 04 SrNo 33
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચ મહાવ્રત [ તેની પચીશ ભાવના અને બીજા નિયમ ]. સંગ્રાહક–શ્રીયુત મેહનલાલ દીપચંદ ચોકસી - - કન ના જૈન ધર્મનું સાધુપણું અતીવ દુષ્કર છે, શાસ્ત્રકાર અને કવિઓએ તેને ખાંડાની ધારની ઉપમા આપી છે. એ સાધુઓ અને બીન બાવા કે ફકીરમાં મોટું અંતર છે. એ બેની સરખામણી ન થઈ શકે. જૈન સાધુએ પિતાની સાધુતાને ઉજજવળ રાખવા સતત જાગરૂક રહેવાનું હોય છે અને તેના અંગે અનેક પ્રકારના નિયમોનું કડક રીતે પાલન કરવાનું હોય છે. સાધુઓના પંચ મહાવ્રતમાં શું મહત્વ છે તે એ પંચ મહાવ્રતના પાલન માટે કરવામાં આવેલ નિયમમાંથી કંઇક સમજી શકાય છે. એટલે આ સ્થળે એ પંચ મહાવ્રતની પચીસ ભાવનાઓ અને બીજા નિયમોનો સંગ્રહ કર્યો છે. પાંચ મહાવ્રતનો 25 ભાવનાઓ 1 પ્રાણાતિપાત વિરમણ વ્રત ( અહિસા વ્રત )ની પાય ભાવનાઓ-(૧) મનેગુપ્તિ ( મનને ગોપવવું–તરંગશ્રેણું પર અંકુશ રાખવો), (2) એષણ સમિતિ, (બંતાલીશ ષરહિત આહારાદિક લેવા), (3) આદાનમંડ નિક્ષેપણા સમિતિ (વસ્ત્રપાત્ર વગેરે યત્ના પૂર્વક લેવ), (4) ઈર્થી સમિતિ (ઉપગ સહિત ચાલવું) અને (5) અન્ન પાણી વગેરે લેવાં તે જોઈને લેવા વડે કરીને ઉકત પાંચ પ્રકારે કરીને હમેશાં અહિંસા-દયા ભાવવી. 2 મૃષાવાદ વિરમણ વ્રત (સત્ય વ્રત) ની પાંચ ભાવનાઓ (1) હાસ્ય (2) લેભ (3) ભય (-) કોધથી મૃષા યાને જુઠું ન બોલવું અને (5) વિચાર પૂર્વક બેસવું. એમ પાંચ પ્રકારે વાણવ્યવહાર આચરતાં સત્યવ્રત ભાવવું યા ચિંતવવું.. 3 અદત્ત દાન વિરમણ વ્રત (અસ્તેય વ્રત) ની પાંચ ભાવનાઓ-(૧) અવગ્રહ માગ (પ્રમાણસર જગા માંગવી), (2) બરાબર જઈ તપાસી વિચારી અવગ્રહ ભાગ, (3) નિરતર ગુરૂની રજા લઈ ભાત પાણી વાપરવા, (4) સાધમિક પાસેથી અવગ્રહ માવો અને (5) અવગ્રહની મુદત ઠરાવવી એ પાંચ પ્રકારે અસ્તેય વ્રત ભાવવું. 4 મૈથુન વિરમણ વ્રત ( બ્રહ્મચર્ય વ્રત) ની પાંચ ભાવનાઓ-(૧) સ્ત્રી નપું. સક તથા પશુવાળી વસતી અને કુયાંતર વસતિને તથા એક આસનને ત્યાગ કરે, (3) સરસ સ્નિગ્ધ આહાર તથા અતિ આહાર ન લે, (4) સરોગે (રાગ સહિત) સ્ત્રી કથા કરવી નહીં અને (5) પૂર્વે કરેલી કામક્રીડા સંભારવી નહીં. એમ પાંચ ભેદે સંપૂર્ણ શીયળવ્રત ભાવવું. 5 પરિગ્રહ ત્યાગ (અકિંચનત્વ) ની પાંચ ભાવનાઓ-(૧) શબ્દ, (2) રૂપ, (3) રસ, (4) ગંધ, (5) સ્પર્શ, એ પાંચમાં હંમેશાં રાગદ્વેષ છોડવા. ભાવ સાધુના 7 લિંગ 1. માર્ગાનુસાર કિયા-મેક્ષ માર્ગને અનુસરતી પ્રપેક્ષણાદિ કરણી. 2. ધર્મમાં ઉત્કૃષ્ટ શ્રદ્ધા-શ્રત ધર્મમાં અને ચારિત્ર ધર્મમાં તીવ્ર અભિલાષા ધરવી તેના 4 ભેદ (1) વિધિસેવા (2) અતૃપ્તિ (3) શુદ્ધ દેશના (4) અખલિતપશુિદ્ધિ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44