Book Title: Jain Dharmik Shanka Samadhan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેની સ્થાપના પાલણપુર પાસેના મગરવાડામાં તથા વિજાપુર પાસેના આગલોડ ગામમાં છે. માણિભદ્રવીરનું આલેડમાં ગામ બહાર મેટું દેવળ છે તેનું વિજાપુર વૃત્તાંતમાં સવિસ્તર વર્ણન છે. પૂર્વાચાર્યોએ તપ તપી મંત્ર આરાધી નવીન માણિભદ્રવીર વગેરેને પણ સમકિતી કરી જૈનશાસન દેવતરીકે સ્થાપિત કર્યા છે તેથી જનકેમ પરંપરાગમને માન્ય રાખી નવીનશાસન રક્ષકવીર વગેરેને આજદિન સુધી માનતી પૂજતી આવી છે. જેનાગમમાં મુખ્યતાએ તત્ત્વજ્ઞાન અને મોક્ષારાધન તથા સાધુના આચાર વગેરેની મુખ્યતા છે અને મંત્રશાસ્ત્રમાં મંત્રકલ્પની મુખ્યતા છે. આગામોમાં આજ કારણથી ૩ઝશ્નાર ઘકાર આદિ બીજમંત્ર વગેરેની વ્યાખ્યાઓ દેખાતી નથી. પૂર્વાચાર્યો મોટા ભાગે મંત્રશાસ્ત્રને ભાગ તે ગુપ્ત રાખતા હતા, અને સ્વશિષ્યને પણ લાયક જાણુને તેઓને ખાનગીમાં મંત્ર રહસ્ય આપતા હતા. મંત્રશાસ્ત્રને ભંડારમાં ગોપવી રાખતા હતા કે જેથી તેને અધિકારી પુરૂષ તેને ઉપયોગ કરી શકે. સર્વ દર્શનધર્મશાસ્ત્રોમાં મંત્રશાસ્ત્ર વિભાગ છે અને તેને સર્વ દર્શનધર્મવાળાઓ શ્રદ્ધાથી માન્ય કરે છે. જેને જૈનમંત્રશાસ્ત્રને અને શાસનદેવના મંત્રોને માન્ય કરે છે અને જૈનશાસન વીર દેવયક્ષ વગેરેને માને છે પૂજે છે, કારણ કે તે સમ્યગ્દષ્ટિ જૈનધર્મી દેવતાઓ છે તેથી તેઓને જેને, સાધર્મિક બંધુદેવ તરીકે માને છે. જૈનેનાં સર્વ જનમંદિરે દે, તેમાં શ્રીસિદ્ધસેનસૂરિકૃતપ્રવચનસારદાર આદિ ગ્રન્થોના આધારે મૂલનાયક તીર્થકરના યક્ષયક્ષિણી વગેરેનું સ્થાપન હેય છે. પ્રભુની પ્રતિમાની નીચે દેવી હોય છે. બહારના મંડપના ગોખલાઓમાં અનેક પ્રકારનાં શસ્ત્રધારક યક્ષ અને યક્ષિણીની મૂર્તિ મંત્રથી પ્રતિષ્ઠિત કરેલી હોય છે. આવો પ્રચાર પ્રાચીનકાળથી શાસ્ત્રના આધારે સિદ્ધ થાય છે. ચકેશ્વરી, પદ્માવતી, અંબિકા, કાલી, માણિભદ્રવીર, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60