Book Title: Jain Dharmik Shanka Samadhan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 52
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) છે માટે ગાંધીજીનો મહિમા ગાઈને ધર્મગુરૂઓની હીનતા દેખાડવા પ્રયત્ન કરે તે જ દેશની ધર્મની પ્રગતિમાં વિઘ્ન નાખવા જેવું કાર્ય છે. અકબર જેવા બાદશાહે હિંદુ મુસભાનની એકતા કરવાની ચળવળ ચલાવી હતી. કબીરે પણ બને કોમની ધર્મથી એકતા કરવાની પ્રવૃત્તિ સેવી હતી પણ થઈ નહીં, દેશનેતાઓ અને પક્ષરૂપી ગછામાં–મોમાં વહેંચાઈ ગયા છે અને તેઓ એક થઈ શક્તા નથી, તે કોડે હિંદુઓનું અને મુસલ્માનોનું ઐક્ય સાધવું મહા મુશ્કેલ છે માટે સ્વરાજ્યની ચળવળમાં થી ધર્મની બાબતને દૂર કરી પ્રવર્તવામાં જ ઓછા ઝઘડાને પ્રસંગ રહેશે. બને કોમે વારંવાર પરસ્પર લડે અને વારંવાર સુલેહ સંપ કરે એમ હિંદુ મુસલ્માનમાં થયા કરવાનું જ.ગાંધીજીબન્નેની એકસંપકદાપિ કરાવે તો તેથી પણ જૈન ત્યાગી મુનિધર્મગુરૂઓના કરતાં તેઓ મહાન બની શકે નહીં અને તેમને આખી દુનિયા વખાણે માને તો પણ તે રાગદ્વેષ રહિત વીતરાગ થયા વિના તે કેટલાક જૈનની માન્યતાવાળા તીર્થંકર જિનતારણહાર બની શકે નહીં. તેમણે સાંસારિક પ્રવૃત્તિને ત્યાગ કર્યો નથી, રાત્રી ભોજનનો ત્યાગ કર્યો હોય વાકંદમૂળને ત્યાગ કર્યો હોય, વા કાચા પાણીને પીવાનો તથા કાચા પાણીમાં ન્હાવાને ત્યાગ કર્યો હોય, વા ખેતી વગેરે ધંધાનો ત્યાગ કર્યો હોય, વા રાંધવા રંધાવાને ત્યાગ કર્યો હોય એવું અમારા જાણવામાં નથી. તથા જૈન દેવદર્શન કરવા જતા હેય વા સાધુદર્શન કરવા જતા હોય એવું પણ જાણવામાં નથી, તેથી તેમના ખુલાસા વિના તેમના જૈન ત્યાગની ખબર પડે નહીં. તે વલ્લભાચાર્યના સંપ્રદાયી વૈષ્ણવ હેય તો ટીલું કરે તે પણ સમજાતું નથી. તે ષડ્યિા વિના ગુણોથી મહાન છે એમ કહીએ તે તેથી પણ ત્યાગધર્મગુરૂઓના કરતાં મહાન નથી. પરદેશી વસ્તુઓને તે સર્વથા વાપરતા નથી એમ પણ સિદ્ધ થતું નથી. તે મોટરગાડી રેલવેમાં બેસે છે, પરદેશી પ્રેસને ઉપયોગ કરે છે, દેશી કાગળ વાપરતા હોય એવો તેમનો નિયમ નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60