Book Title: Jain Dharma Darshan Jain History Series 11
Author(s): Mohanlal Mehta
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 349
________________ ૩૨૫ કર્મસિદ્ધાન્ત હોવાનો પ્રશ્ન જ નથી. અનુભવ તો એ જ સૂચવે છે કે તે સામગ્રીનું ઉપાર્જન કોઈ અન્યના પુરુષાર્થથી થયું છે. તે તો સંયોગવશ તેનો સ્વામી બની ગયો છે. તેણે પોતે તે સામગ્રીના ઉપાર્જનમાં કોઈ જાતનો પ્રયત્ન કર્યો નથી. આવી સ્થિતિમાં તે સાધનસામગ્રી તેના પુણ્ય સાથે કેવી રીતે સમ્બદ્ધ હોઈ શકે? હા, તે સાધનસામગ્રીના નિમિત્તથી થનારાં સુખ-દુઃખ અવશ્ય તે વ્યક્તિનાં પુણ્ય-પાપ સાથે સમ્બદ્ધ હોય છે. આ જ વાત સંયોગવશ થનારી સાધનસામગ્રીની અપ્રાપ્તિ અંગે પણ સમજવી જોઈએ અર્થાત્ સ્વતઃ પ્રાપ્ત નિર્ધનતા પાપનું પરિણામ નથી પરંતુ તે નિર્ધનતાથી થનારાં સુખ-દુઃખ પુયપાપનાં પરિણામ છે. આમ પુણ્ય-પાપનું ફળ અમીરી-ગરીબી નથી પરંતુ સુખ-દુઃખ છે. શુભ-અશુભ કર્મોનો સંબંધ શરીર સાથે હોવાથી પુણ્ય-પાપ અને તત્પરિણામરૂપ સુખ-દુ:ખ પણ શરીર સાથે જ સમ્બદ્ધ છે. બાહ્ય પદાર્થ સુખ-દુઃખની ઉત્પત્તિમાં નિમિત્તકારણ હોઈ શકે છે. સુખ-દુઃખનું ઉપાદાનકારણ તો શુભ-અશુભ કર્મરૂપ પુણ્યપાપ જ છે. કર્મની વિવિધ અવસ્થાઓ જૈન કર્મશાસ્ત્રમાં કર્મની વિવિધ અવસ્થાઓનું વર્ણન મળે છે. આ અવસ્થાઓ કર્મનાં બબ્ધ, પરિવર્તન, સત્તા, ઉદય, ક્ષય સાથે સંબંધ ધરાવે છે. તેમનું સ્થૂળપણે વર્ગીકરણ અગિયાર ભેદોમાં કરી શકાય. તે ભેદનાં નામ નીચે મુજબ છે – (૧) બન્ધન, (૨) સત્તા, (૩) ઉદય, (૪) ઉદીરણા, (૫) ઉદ્વર્તના, (૬) અપવર્તના, (૭) સંક્રમણ, (૮) ઉપશમન, (૯) નિધત્તિ, (૧૦) નિકાચન અને (૧૧) અબાધ.' (૧) બધુન - આત્માની સાથે કર્મપરમાણુઓનું બંધાવું અર્થાત નિરક્ષીરવત એકાકાર થઈ જવું બન્ધન કહેવાય છે. બન્ધન પછી જ અન્ય અવસ્થાઓ શરૂ થાય છે. બન્ધનના ચાર પ્રકાર છે : પ્રકૃતિબન્ધ, સ્થિતિબન્ધ, અનુભાગબ% અથવા રસબન્ધ અને પ્રદેશ બન્યા. તેમનું વર્ણન અમે કરી દીધું છે. (૨) સત્તા – બદ્ધ કર્મપરમાણુ પોતાની નિર્જરા એટલે કે ક્ષય થાય ત્યાં સુધી આત્મા સાથે સમ્બદ્ધ રહે છે. આ અવસ્થાનું નામ સત્તા છે. આ અવસ્થામાં કર્મો પોતાનાં ફળ આપતાં નથી પરંતુ એમને એમ પડ્યાં રહે છે. (૩) ઉદય – કર્મની સ્વફલ પ્રદાન કરવાની અવસ્થાનું નામ ઉદય છે. ઉદયમાં આવેલાં કર્મપુદ્ગલો પોતાની પ્રકૃતિ અનુસાર ફળ દઈને નાશ પામે છે. કર્મપુદ્ગલનો નાશ ક્ષય અથવા નિર્જરા કહેવાય છે. (૪) ઉદીરણા– નિયત સમય પહેલાં કર્મોનું ઉદયમાં આવવું ઉદીરણા કહેવાય છે. જૈન કર્મવાદ કર્મની એકાન્ત નિયતિમાં વિશ્વાસ કરતો નથી, મનાતો નથી. જેવી ૧. આત્મમીમાંસા, પૃ. ૧૨૮-૧૩૧; Jaina Psychology, પૃ. ૨૫-૨૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444