Book Title: Jain Dharma Darshan Jain History Series 11
Author(s): Mohanlal Mehta
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 393
________________ ૩૬૯ ઈશારા કરવા અર્થાત્ રૂપસંકેતોનો પ્રયોગ કરવો એ રૂપાનુપાત છે. ક્ષેત્રની નિશ્ચિત કરેલી સીમાની બહાર રહેલી વ્યક્તિને પોતાનો અભિપ્રાય જણાવવા માટે કાંકરા, કાગળ આદિ ફેંકવા એ પુદ્ગલપ્રક્ષેપ છે. આચારશાસ્ત્ર (૩) પૌષધોપવાસ ——વિશેષ નિયમપૂર્વક ઉપવાસ કરવા એટલે કે આત્મચિન્તન માટે બધી સાવદ્ય ક્રિયાઓનો ત્યાગ કરી શાન્તિપૂર્ણ સ્થાને બેસીને ઉપવાસપૂર્વક નિયત સમય ગાળવો એ પૌષધોપવાસ છે. આ વ્રતમાં ઉપવાસનું મુખ્ય પ્રયોજન આત્મતત્ત્વનું પોષણ હોય છે, એટલે તેને પૌષધોવાસ વ્રત કહે છે. આત્મપોષણ માટે પૌષધોપવાસ વ્રતને અંગીકાર કરનારો શ્રાવક ભૌતિક પ્રલોભનોથી દૂર રહે છે, ભૌતિક આપત્તિઓથી વ્યાકુળ કે વિચલિત પણ થતો નથી. આ વ્રતધારી શ્રાવક શ્રમણની જેમ જ સાધનામાં રત હોય છે. તે આહારના પરિત્યાગની સાથે જ ઉપલક્ષણથી શરીરસત્કાર અર્થાત્ શારીરિક શણગાર, અબ્રહ્મચર્ય અર્થાત્ મૈથુન અને સાવઘ પ્રવૃત્તિ અર્થાત્ હિંસક ક્રિયાનો પણ ત્યાગ કરે છે. ― ― પૌષધોપવાસ વ્રતના નીચે જણાવેલા પાંચ અતિચારો છે (૧) અપ્રતિલેખિતદુષ્પ્રતિલેખિત શય્યાસંસ્તારક, (૨) અપ્રમાર્જિત-દુષ્પ્રમાર્જિત શય્યાસંસ્તારક, (૩) અપ્રતિલેખિત-દુષ્પ્રતિલેખિત ઉચ્ચારપ્રસ્રવણભૂમિ, (૪) અપ્રમાર્જિત-દુષ્પ્રમાર્જિત ઉચ્ચારપ્રસવણભૂમિ અને (૫) પૌષધોપવાસસમ્યગનનુપાલનતા. શય્યા અર્થાત્ વસતિ મકાન અને સંસ્તા૨ક અર્થાત્ પથારી • કામળી વગેરેનું પ્રતિલેખન અર્થાત્ પ્રત્યવેક્ષણ નિરીક્ષણ બિલકુલ ન કરવું અથવા બરાબર સારી રીતે ન કરવું એ અપ્રતિલેખિત-દુતિલેખિત શય્યાસંસ્તા૨ક અતિચાર છે. શય્યા અને સંસ્તારકને પ્રમાર્જિત કર્યા વિના અર્થાત લૂછ્યા વિના - સાફ કર્યા વિના અથવા સારી રીતે સાફ કર્યા વિના કામમાં લેવાં એ અપ્રમાર્જિત-દુષ્મમાર્જિત શય્યાસંસ્તા૨ક અતિચાર છે. તેવી જ રીતે મળમૂત્ર માટેની ભૂમિને જોયાતપાસ્યા વિના અથવા બરાબર સારી રીતે જોયા વિના તેનો ઉપયોગ કરવો એ અપ્રતિલેખિત-દુષ્પ્રતિલેખિત ઉચ્ચારપ્રશ્નવણભૂમિ અતિચાર છે અને તેને સાફ કર્યા વિના કે સારી રીતે સાફ કર્યા વિના તેનો ઉપયોગ કરવો એ અપ્રમાર્જિત-દુષ્પ્રમાર્જિત ઉચ્ચારપ્રસવણભૂમિ અતિચાર છે. પૌષધોપવાસ વ્રતનું સમ્યક્ રીતે પાલન ન કરવું અર્થાત્ આત્મપોષક તત્ત્વોનું સારી રીતે સેવન ન કરવું એ પૌષધોપવાસસમ્યગનનુપાલનતા અતિચાર છે. આ બધા અતિચારોથી દૂર રહેનારો શ્રાવક પૌષધોપવાસ વ્રતની યથાર્થ આરાધના કરી શકે છે. પ્રથમ ચાર અતિચારોમાં અનિરીક્ષણ અથવા દુર્નિરીક્ષણ અને અપ્રમાર્જન અથવા કુપ્રમાર્જનના કારણે હિંસાદોષની સંભાવના રહે છે - જીવજન્તુના હણાવાની શક્યતા રહે છે. — 24 Jain Education International For Private & Personal Use Only — www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444