Book Title: Jain Dharma Darshan Jain History Series 11
Author(s): Mohanlal Mehta
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 392
________________ ૩૬૮ જૈન ધર્મ-દર્શન દોષયુક્ત પ્રવૃત્તિનો ત્યાગ અને નિરવદ્ય યોગ અર્થાત દોષરહિત પ્રવૃત્તિનું આચરણ કરવાનું હોય છે. અમુક સમય સુધી સામાયિક વ્રત ગ્રહણ કરનારી વ્યક્તિ ક્રમશઃ પોતાના આખા જીવનમાં સમતાનો વિકાસ કરે છે. ધીમે ધીમે સમભાવનો અભ્યાસ કરતાં કરતાં તે સંપૂર્ણ જીવનને સમતામય બનાવી લે છે. જ્યાં સુધી સમતા જીવનવ્યાપી નથી થઈ જતી ત્યાં સુધી તેનો અભ્યાસ ચાલતો રહે છે. આ જ સામાયિક વ્રતની યથાર્થ આરાધના છે. નીચે જણાવેલા પાંચ અતિચારોથી સામાયિક વ્રત દૂષિત થાય છે – (૧) મનોદુપ્રણિધાન, (૨) વાગ્દષ્મણિધાન, (૩) કાયદુપ્રણિધાન, (૪) મૃત્યકરણ અને (પ) અનવસ્થિતકરણ. મનથી સાવદ્ય ભાવોનું અનુચિન્તન કરવું એ મનોદુપ્પણિધાન છે. વાણીથી સાવદ્ય વાણી બોલવી એ વાગ્દષ્મણિધાન છે. શરીરથી સાવદ્ય ક્રિયા કરવી એ કાયદુપ્પણિધાન છે. સામાયિકની સ્મૃતિ ન રાખવી અર્થાત્ સામાયિક કરવાની છે કે નહિ, સામાયિક કરી લીધી છે કે નહિ, સામાયિક પૂરી થઈ કે નહિ, વગેરે વિશે સ્મૃતિ ન હોવી એ મૃત્યકરણ છે. યથાવસ્થિત સામાયિક ન કરવી, સમય પૂરો થયા વિના જ સામાયિક પૂરી કરી લેવી એ અનવસ્થિતકરણ છે. (૨) દેશાવકાશિક–દિશાપરિમાણ વ્રતમાં જીવનભર માટે દિશાઓના મર્યાદિત પરિમાણમાં કેટલાક કલાક કે દિવસ માટે વિશેષ મર્યાદા નિશ્ચિત કરવી એટલે કે વધારે સંકોચ કરવો એ દેશાવકાશિક વ્રત છે. દેશ અર્થાતુ ક્ષેત્રનો એક ભાગ અને અવકાશ એટલે સ્થાન. આ વ્રતમાં જીવનપર્યન્ત માટે સ્વીકારેલા દિશાપરિમાણના અર્થાત ક્ષેત્રમર્યાદાના એક ભાગરૂપ સ્થાનની કેટલાક સમય માટે વિશેષ સીમા નિશ્ચિત કરવામાં આવતી હોવાથી તેને દેશાવકાશિક વ્રત કહે છે. આ વ્રત ક્ષેત્રમર્યાદાનો સંકોચ કરવા સાથે જ ઉપલક્ષણથી ભોગોપભોગાદિરૂપ અન્ય મર્યાદાઓને પણ સંકુચિત કરે છે. મર્યાદિત ક્ષેત્રની બહાર ન જવું, બહારથી કોઈને ન બોલાવવો, બહાર કોઈને ન મોકલવો, બહારથી કોઈ વસ્તુ ન મંગાવવી, બહાર ક્રય-વિક્રય ન કરવો વગેરે પ્રસ્તુત વ્રતનાં લક્ષણ છે. દેશાવકાશિક વ્રતના નીચે જણાવેલા પાંચ અતિચાર છે– (૧) આનયનપ્રયોગ, (૨) પ્રેષણપ્રયોગ, (૩) શબ્દાનુપાત, (૪) રૂપાનુપાત અને (૫) પુદ્ગલપ્રક્ષેપક્ષેત્રની નિશ્ચિત કરેલી સીમાની બહારથી વસ્તુ લાવવી, મંગાવવી આદિ આનયનપ્રયોગ છે. ક્ષેત્રની નિશ્ચિત કરેલી સીમાની બહાર વસ્તુ મોકલવી, લઈ જવી, વગેરે પ્રેષણપ્રયોગ છે. ક્ષેત્રની નિશ્ચિત કરેલી સીમાની બહાર કોઈને ઊભેલો જોઈને ખોંખારો વગેરે શબ્દસંકેત દ્વારા તેને બોલાવવાની ચેષ્ટા કરવી એ શબ્દાનુપાત છે. ક્ષેત્રની નિશ્ચિત કરેલી સીમાની બહાર રહેલા લોકોને બોલાવવા માટે હાથ, મુખ, માથું આદિ વડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444