Book Title: Jain Dharma Darshan Jain History Series 11
Author(s): Mohanlal Mehta
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૭૪
જૈન ધર્મ-દર્શન - દસમી પ્રતિમામાં ઉદિષ્ટ ભક્તનો પણ ત્યાગ કરી દેવામાં આવે છે. આ પ્રતિમામાં રહેલો શ્રમણોપાસક અસ્તરા વડે મુંડિત થઈને શિખા ધારણ કરે છે અર્થાત એકદમ સાફ મુંડ કરાવતો નથી પણ ચોટલી જેટલા વાળ માથા ઉપર રહેવા દે છે. દસમી પ્રતિમા ધારણ કરનારા ગૃહસ્થને જ્યારે કોઈ એક વાર કે અનેક વાર બોલાવે અથવા એક કે અનેક પ્રશ્ન પૂછે ત્યારે તે બે જ ઉત્તર આપે છે. જાણતો હોય તો કહે છે કે હું જાણું છું. ન જાણતો હોય તો કહે કે મને ખબર નથી. આ પ્રતિમામાં ઉદિષ્ટ ભક્તનો ત્યાગ હોવાથી એનું નામ ઉદિષ્ટભક્તરત્યાગ પ્રતિમા છે.
અગિયારમી પ્રતિમાનું નામ શ્રમણભૂતપ્રતિમા છે. શ્રમણભૂતનો અર્થ થાય છે શ્રમણના જેવો. જે ગૃહસ્થ હોવા છતાં પણ સાધુના જેવું આચરણ કરે છે એટલે કે જે શ્રાવક હોવા છતાં પણ શ્રમણ કરે તેવી ક્રિયા કરે છે તે શ્રમણભૂત કહેવાય છે. શ્રમણભૂતપ્રતિમાને ધારણ કરનાર શ્રમણોપાસક અસ્તરાથી મુંડન કરાવે છે અથવા તો હાથથી લુચન કરે છે. આ પ્રતિમામાં ચોટલી રાખવામાં આવતી નથી. વેષ, ભાંડોપકરણ અને આચરણ શ્રમણના સમાન જ હોય છે. શ્રમણભૂત શ્રાવક મુનિવેષમાં અનગારવતુ આચારધર્મનું પાલન કરતો જીવનયાપન કરે છે. સંબંધીઓ અને જાતિના લોકો સાથે યત્કિંચિત સ્નેહબન્ધન હોવાના કારણે તેમના ઘરેથી અર્થાત પરિચિત ઘરોથી જ ભિક્ષા ગ્રહણ કરે છે. ભિક્ષા લેતી વખતે તે એ વાતનું ધ્યાન રાખે છે કે દાતાને ત્યાં પોતે પહોંચે તે પહેલાં જે ચીજો બની ગઈ હોય તે ચીજો જ તે ગ્રહણ કરે, અન્ય નહિ. જો તેના પહોંચવા પહેલાં ચોખા ચડી ગયા હોય અને દાળ ન ચડી હોય તો તે ભાત જ લેશે, દાળ નહિ લે. તેવી જ રીતે જો દાળ ચડી ગઈ હોય અને ચોખા ન ચડ્યા હોય તો તે દાળ જ લેશે, ભાત નહિ લે. પહોંચતાં પહેલા બન્ને ચીજો ચડીને તૈયાર હોય તો તે બન્ને લઈ શકે છે અને એક પણ ચીજ ન ચડી હોય તો એક પણ ચીજ નહિ લે.
પ્રતિમાઓ તપસાધનાની ક્રમશઃ ચડિયાતી અવસ્થાઓ છે. તેથી પછી પછીની પ્રતિમાઓમાં પૂર્વ પૂર્વની પ્રતિમાઓના ગુણ સ્વતઃ સમાવેશ પામે છે, જ્યારે શ્રાવક અગિયારમી અર્થાતુ અન્તિમ પ્રતિમાની આરાધના કરે છે ત્યારે તેનામાં પ્રારંભથી લઈને અત્ત સુધીની બધી પ્રતિમાના ગુણો હોય છે. ત્યાર પછી પોતાની શક્તિ પ્રમાણે ગમે તો તે મુનિધર્મની દીક્ષા ગ્રહણ કરે, ગમે તો તે એ અન્તિમ પ્રતિમાને જ ધારણ કરતો રહે. - શ્વેતામ્બર અને દિગમ્બર પરંપરાસમ્મત ઉપાસકપ્રતિમાઓના ક્રમ અને નામોમાં નગણ્ય અત્તર છે. શ્વેતામ્બર પરંપરામાં અગિયાર ઉપાસકપ્રતિમાઓનાં નામ ક્રમાનુસાર નીચે પ્રમાણે મળે છે – (૧) દર્શન, (૨) વ્રત, (૩) સામાયિક, (૪) પૌષધ, (૫) નિયમ, (૬) બ્રહ્મચર્ય, (૭) સચિરત્યાગ, (૮) આરંભત્યાગ, (૯) પ્રેપ્યપરિત્યાગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444