Book Title: Jain Dharm Vikas Book 01 Ank 11
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 15
________________ ધમ્ય વિચાર ૩૨૧ કોણ ઉઠાવે? મનને મારવાની વાત દેવી, અશકય, ધના ઈજારદાને ત્યાં હોય એવું કટાક્ષ કરનારાઓથી, ચંચળ સધવાઓને માટે કોઈ પણ વ્યવસ્થા કરવાનું ચર્ચાય છે શું? ત્યાં તે સતીત્વ અને પતિવ્રત્યેના આદર્શોની વાત કરી મન મારવાની સલાહ અપાય છે. જાણે કે સધવા ચંચળ થતા મનને મારી શકવાની શક્તિ ધરાવતી જ હોય છે, વિધવાઓ હરગીજ નહિ. - સધવાઓને વિષયતૃપ્તિનું સાધન હાજર છે માટે મન મારવું શક્ય છે?' એમ જે કઈ કહેતું હોય તો તે ખરેખર, માનસશાસ્ત્રનો સાચો અભ્યાસી નથી. સ્ત્રીઓનું ચંચળ મન વિષય કરતાં પસંદગી તરફ જ વધારે ખેંચાઈ જાય છે. વળી વિષય ઉપગ એ મન મારવાનું સાધન છે એમ પણ જ્ઞાનીઓ કે અનુભવીઓ કહેતા નથી તેઓ કહે છે કે “વિષપભોગથી ઈચ્છાઓ તૃપ્ત થતી નથી: વિરૂદ્ધ, આગમાં નંખાતાં કાઠેથી તે વૃદ્ધિને પામે તેમ વિષયના સતત સેવનથી ઈચ્છાઓ વધ્યા જ કરે છે. જેટલા વધારે પ્રમાણમાં હદયને શૃંગારરસમાં ઉતરવાનું થાય તેટલું જ ઈચ્છાઓને વધારે ત્યાં થાય છે. નિ:શંક બહુ ખેલનારી સધવાઓ ને મરેલો જેવા સ્વાતી નથી, એનું કારણ ઢાંકપીછોડાની સગવડ સિવાય અન્ય કાંઈ પણ હોતું નથી. આ બધું જાણતાં છતાં સધવાઓને વિફરી ન જવા દેવાની ખાતર નીતિ અને મને મારવાની વાતો આગળ ધરવામાં આવે છે! એક સાથે બેમાં નીતિ છૂટ આપતી નથી, એવી માન્યતા ધરાવનારાઓને મન, નીતિ “એક પછી એક એમ બની કે તેથી વધારેની છૂટ આપી શકે છે! એવી નીતિમાં માનનારું માનસ દૂષિત કે અજ્ઞાન નથી શું? જીવનમાં એક સાથે કે ભિન્નભિન્ન સમયે મળી બે’ ભક્તા નજ હોઈ શકે એવી નીતિ જ નારીજીવનમાં ઉપદેશવાનું ગ્ય હોઈ શકે, અન્યથા સામાજિક શ્રેષ્ઠત્વ જગતમાંથી અદશ્ય જ થઈ જાય. બાકી વ્યક્તિગત તે પતિત થનારને સધવા, વિધવા કે કન્યા હોઈ નીતિને અવગણું ન અટકે તો તેને આ દુનીયામાં કઈપણ અટકાવી શકે નહિ. ઉપરાંત, એ! વિધવાની દયાના ચિતકે! જરૂર તમને કઈ પુછી શકશે કે, પુખ્તવયની બાળાઓ; સધવાઓ અને વિધવાઓની નીતિમાં ખલલ ક્યાંથી થાય છે? કોણ કરે છે? એમનું સત્યાનાશ વાળનાર તે પુરૂષે સિવાય અન્ય કેણ છે? એગ્ય વયની કન્યાઓ, ગમે તે કારણે પુરૂષ પ્રસંગ વિનાની સધવાઓ અને વિધવાઓ; એમનાથી ન રહેવાય બ્રહ્મચર્ય પાળી ન શકાય, આવા વિચારો ફેલાવવામાં આવે છે તેનું પરિણામ હલકટ વૃત્તિના યુવાનોના દિલમાં ઘણું જ ખરાબ આવી, તેઓ તેમના, ખાસ કરીને વિધવાઓના શિયલનાશના પ્રયત્ન કરવામાં પ્રવૃત્ત થાય છે. અને તેમને હાથમાં લેવાને બનતી બધીય હકમતે અજમાવી જુવે છે. આપણાથી બ્રહ્મચર્ય ન પળાય, એવી ભાવના વિધવાઓમાં ઉપજાવવાનો પ્રયત્ન કરે, એ કેવલ તેમનામાં ઝેર જ વાવવા જેવું છે. પવિત્ર

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36