Book Title: Jain Dharm Prakash 1892 Pustak 008 Ank 04 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ માંડે. એક દિવસ પ્રસ્તા પિતાએ તેને જવા સંબંધી તથા ગયા પછી રાજ્ય શી રીતે મળ્યું તે સંબંધી વૃત્તાંત પુ. પિતાની પ્રશંસા અથવા પોતાની મહત્તાની વાત વડિલોની પાસે કરવી એ અયુકત છે તો પણ - તાનું વચન ઉલ્લંઘન કરવું એ વધારે અયુક્ત છે એમ ગણી પ્રથમથી સર્વ વૃત્તાંત કહી બતાવ્યો. તે સર્વ સાંભળી અત્યંત હવાતુર થયેલ પતિ બોલ્યો–અહે! કલ્પવૃક્ષ, કામગવી અને ચિંતામણિ રનથી પણ છે અને સકલ સુખને આપનાર ધર્મ જગતમાં જયવંત વર્તે છે; જે ધર્મના પ્રભાવથી માણસને અસંખ્ય અને અચિંતની સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે धर्माजन्मकुलेकलंकविकलेजातिःसुधर्मात्परा । धर्मादायुरखंडितं गुरुवलं धर्माचनीरोगता ॥ धर्माद्वित्तमनंदितं निरूपमा भोगाः मुकीतिःमुधी । धर्मादेवचदेहिनांप्रभवतःस्वर्गापवर्गावपि ॥ પ્રાણીને ધર્મના પ્રભાવથી નિર્મળ કુળમાં જન્મ, ઊજાતિ, અખંડિત આયુ, ગુરૂબળ, નીરોગતા, અનંદિત દ્રવ્ય, નિરૂપમ ભોગ, સકી, સબુદ્ધિ અને સ્વર્ગ તથા અપવર્ગના સુખ પ્રાપ્ત થાય છે, માટે આ મનુ ષ્ય જન્મ પામીને ધર્મકાર્ય કરવા એજ શ્રેયસ્કર છે. કાદવમાંથી જેમ કમલ, માટીમાંથી જેમ સુવર્ણ, છાશમાંથી જેમ માખણ, પથ્થરમાંથી જેમ રા તેમ મનુષ્યભવથી ધર્મોપાર્જન એજ સારભૂત છે. માટે હવે ધર્મથી રહિત અને જર્જર એવા આ રાજ્ય પિંજરમાં રહેવું મારે યુકત નથી निर्दतःकरटीहयोगतजवश्चंद्रविनाशर्वरी । निर्गधंकुसुमंसरोगतजलच्छायाविहीनस्तमः ॥ सूपं निर्लवणं मुतो गतगुण चारित्रहीनोयतिः । निर्देवं भुवनं न राजति तथा धर्म विना मानवः ।। જેમ દતુશળ વિનાનો હસ્તિ ભતો નથી, જેમ વેગ રહિત અધ શોભતો નથી, જેમ ચંદ્રાવિનાની રાલી શોભતી નથી, જેમ સુગંધ વિનાનું પુષ્પ શોભતું નથી, જેમ જળ વિનાનું સરોવર શોભતું નથી, જેમ છાયાવિના વૃક્ષ શોભતું નથી, જેમ લવણવિ શાક સ્વાદિષ્ટ લાગતા ન For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20