Book Title: Jain Dharm Prakash 1892 Pustak 008 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેનર્સ પ્રકાર છે તેનો ઉપયોગ બરાબર રાખવું જોઈએ, જિનદશને જનારને માટે જવાને વિચાર કરે, ત્યાંથી ઉભા થાય, ચાલે, એમ ડગલે ડગલે અમુક અમુક ઉપવાસનું વૃદ્ધિ પામતું ફળ જે શાસ્ત્રકારે બતાવેલ છે તે તેના ઉપયોગની શુદ્ધિ, જિનદર્શનની ઈચ્છામાં વૃદ્ધિ પામતી એકાગ્રતા, વિરૂદ્ધ આચરણનો ત્યાગ, જયણ પૂર્વકજીવદયા પાળતાં ગમન, એ સર્વ કારણોને લીધે બેતાવેલ છે પણ જિનદર્શન કે જિનપૂજા માટે નીકળ્યા છતાં રસ્તે ચાલવાનું ભાન નથી, બલવાનું ભાન નથી, શું કરવા જાય છે તેનો ઉપયોગ નથી, રસ્તે ચાલતાં અનેક પ્રકારના પ્રપંચાનું પર્યટન મનમાં કર્યા કરે છે, કોઈ સામે મળી જાય છે તેની સાથે ચારે કપાયની ઉત્પત્તીને બતાવનાર વાર્તાલાપ કરી કર્મબંધ કરતો જાય છે, જિનદર્શનમાં એકાગ્રતા તે શેની જ હોય પરંતુ વિચાર કરતાં કરતાં જિનમંદિર આવી જાય અને પગે ઠેશ વાગે ત્યાંસુધી પણ તેનું ભાન નથી એવા મનુષ્યને માટે શાસ્ત્રકારે ઉપવાસના ફળની વૃદ્ધિ બતાવેલ નથી. હવે જિનમંદિરમાં પ્રવેશ કર્યો પછી જિનપૂજા માટે દેહ શુદ્ધિ કરવા સારૂ એક વસ્ત્ર ધારણ કરીને તે સંબંધી ઉધમ કરતાં પહેલાં સ્નાન કરવા યોગ્ય ભૂમિ છે કે નહીં ? હાયેલા જળનું શું થાય તેમ છે? -હાવા ગ્ય જળ છે કે નહીં? તેને વિચાર કરે છએ. આ સવળો વિચાર જીવદયા માટે છે અને તેથી ત્યાં પણ જવાની જરૂર છે. પ્રથમ તે જમીન છવા પર વિનાની જોઇએ કે જેથી ત્યાં પાણી પડવાથી જીવન ને નાશ ન થાય, વળી પડેલું પાણી ત્યાં પડેલા પદાર્થ ઉપર પડીને છવની ઉત્પત્તી કરે તેમ પણ ન હોવું જોઈએ. જ્યાં તે જમીન જળનું પણ કરે એવી હોવી જોઈએ અથવા તે પાણી છુટું છુટુ ફેલાઈ જાય તેમ હોવું જોઈએ. ઘણું બહાનારનું શરીરના અનેક પ્રકારના મળ યુક્ત થયેલ પાણી જે એકઠું રહેતે તેમાં અસંખ્ય સમુછમ જીવોની ઉ. પત્તિ થાય છે માટે તેમ થવું ન જોઈએ હવે આવી યુદ્ધમાન જગ્યામાં પરિમિત જળવડે સ્નાન કરવું જોઈએ. નહાવામાં શરીરની શુદ્ધિ કરવાની જરૂર છે તે કાંઈ ઘણું પાણી ઢોળવાથી થતી નથી પરંતુ પિતાના હસ્તવડે શરીરનું ઉપમર્દન કરવાથી થાય છે. કેટલાએક ન્હાનારા પાણી પુષ્કળ ઢાળે છે અને ઉલટી શરીર શુદ્ધિ બરાબર કરતા નથી તેમણે વિચારવું જોઇએ કે બાવક જળને ઘતળી પેઠે વાપરવાનું શાસ્ત્રકારે કહેવું છે માટે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20