Book Title: Indriya Gyan Author(s): Sandhyaben Publisher: Digambar Jain Mumukshu Mandal View full book textPage 8
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી સમયસાર પરમાગમ ઉપરના પ્રવચનો શાસ્ત્ર આકારે પ્રવચન રત્નાકરના અગિયાર ભાગ, અદ્વિતિયચક્ષુ, જીવનપર્યત સ્વાધ્યાય કરવા જેવું અધ્યાત્મ પ્રવચન રત્નત્રય, જ્ઞાયકભાવ, સકળશ ૨૭૧ ઉપર પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો વિગેરે શાસ્ત્ર આકારે બહાર આવ્યા છે તે આપની જ પ્રેરણાથી પ્રકાશીત થયા છે. જે આપશ્રીની ગુરુભક્તિ અને શાસ્ત્રભક્તિ પ્રગટ દેખાય છે. આપ વારંવાર કહેતા કે આ શું જણાય છે? તો અનાદિથી ઇન્દ્રિયજ્ઞાનમાં જ્ઞાનની ભ્રાંતિના કારણે સામે એમ જવાબ આવતો કે સાયકલ અથવા ભગવાનની પ્રતિમા અથવા ઘડીયાળ તો આપ કહેતા કે એજ મિથ્યાદર્શન, એજ મિથ્યાજ્ઞાન અને એ જ મિથ્યાચારિત્ર છે. આ વાત કૃપાળુ ગુરુદેવશ્રીએ કરી હતી છતાં કોઈનું ધ્યાન ખેંચાયું નહીં કે આ સમયે સમયે મિથ્યાત્વનું મોટું પાપ થઈ રહ્યું છે. જો આ વાત ઉપર આત્મજ્ઞ પુરુષ પૂજ્ય શ્રી લાલચંદભાઈએ ધ્યાન ખેંચાવ્યું નહોત તો પૂજ્ય ગુરુદેવશ્રી મલ્યા તે ન મલ્યા બરાબર થઈ જાત. પૂ. શ્રી સોગાનીજીએ કહ્યું છે કે આ માર્ગ પંચમ આરાના છેડા સુધી રહેશે અને આ મુમુક્ષુમંડળીમાંથી બહુધા જીવો મોક્ષમાં જશે. આ માર્ગને અડીખમ અને અણીશુદ્ધ ટકાવી રાખવામાં હું ગુરુદેવ! આપના કેડાયત લાલનો સમાજ ઉપર મહાન ઉપકાર છે. શ્રી દેવસેન આચાર્ય કહ્યું છે કે હે કુંદકુંદ આચાર્ય જો આપ વિદેહક્ષેત્રે જઈ શ્રી સીમંધર પરમાત્મા પાસેથી આ દિવ્ય દેશના ના લાવ્યા હોત તો અમારા જેવા મુનિઓનું શું થાત! તેમ હું Please inform us of any errors on rajesh@ AtmaDharma.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 310