________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬]
[હું
જેને અતીન્દ્રિય આનંદ ન ભાસે તે તેમાં લલચાય કેમ? જેને પુણ્યપાપના પરિણામમાં ઠીકપણું લાગતું હોય તે ત્યાંથી ખસે કેમ? માટે ભગવાન આત્મા જ્ઞાન-દર્શન-આનંદ સ્વરૂપ છે તેને જાણ, કેમ કે તે ઈચ્છા વિનાની ચીજ છે. તેથી ઈચ્છા વિનાની જે ચીજ છે તેના લક્ષે ઈચ્છાને ટાળીને વીતરાગસ્વરૂપમાં ઠરે તેને ઈચ્છારહિત તપ કહે છે. પવિત્ર આનંદસ્વરૂપમાં ઠરે ને લીન થાય એટલે ઈચ્છા રોકાઈ ગઈ ને સ્વરૂપમાં લીન થયો તેને મુક્તિનો માર્ગ કહેવામાં આવે છે.
ઈચ્છાને-રોકીને એમ કહેવું એ પણ નાસ્તિથી એક વાત છે. જ્ઞાયકની સત્તાનું ભાન કરીને તેમાં દૃષ્ટિ ને સ્થિરતા કરતાં ઈચ્છા રોકાઈ જાય છે ને સ્વરૂપમાં લીનતા થાય છે તેને પરમાત્મા તપ અને ધર્મ કહે છે. આહાર ન લેવો કે અમુક ૨સ ન લેવોએ તો બધી લાંઘણ છે, ચારિત્રની રમણતા તે તપ છે. અનાદિથી રાગમાં રમે છે, પુણ્ય-પાપના રાગના વિકલ્પમાં ૨મે છે તે સંસાર છે. એ પુણ્ય-પાપના રાગથી ખસીને જેમાં એ પુણ્ય-પાપ નથી એવા ભગવાન આત્માના સ્વભાવમાં ઠરવું તે તપ ને મુક્તિનો ઉપાય છે.
આત્માને જાણ્યા પછી તપ થાય એમ હ્યું, પણ અમે તો આત્માને જાણવા માટે તપ કરીએ છીએ! બાપુ! આત્માને જાણ્યા વિના તપ શી રીતે હોય ? તમારું નામ જાણવું હોય તો કેટલા ઉપવાસ કરે ત્યારે નામ જણાય ? મારે તમારું નામ પૂછવું નથી, ઉપવાસ કરીને તમારું નામ જાણવું છે, તો કેટલા ઉપવાસ કરવાથી નામ જણાય ? ભાઈ ! પૂછવું પડે ને ?-કે તમારું નામ-ઠામ શું? જ્ઞાન દ્વારા જ અજ્ઞાનનો નાશ થઈ શકે છે. તેથી આત્મા પોતાના આત્માનું પ્રથમ જ્ઞાન કરે કે જાણનાર દેખનાર તે આત્મા-એમ આત્માનો વિશ્વાસ ને શ્રદ્ધા-જ્ઞાન કરીને, રાગથી ખસીને સ્વરૂપમાં ઠરે ત્યારે તપ થાય છે ને તેને ધર્મ કહેવામાં આવે છે.
મોક્ષસ્વરૂપ ભગવાન આત્મામાં લીન થવાથી અલ્પકાળમાં મોક્ષ દશાને પામે છે, તેને પછી ચાર ગતિ હોતી નથી. પંચમ પરમ ગતિ પામ્યા પછી તેને ફરીથી અવતરવું પડતું નથી. જેણે ભગવાન આત્માના શુદ્ધ સ્વભાવનો વિશ્વાસ કરીને, વિશ્વાસે તેમાં ૨મીને તે દ્વારા જેણે પરમ ગતિને પ્રાપ્ત કરી તે ફરીથી સંસાર પામતો નથી. અતીન્દ્રિય આનંદમાં જે લીન થયો, પૂરણ લીનતા પામ્યો તે હવે ત્યાંથી પાછો ખસે–એમ ત્રણકાળમાં બનતું નથી. માખી જેવું પ્રાણી પણ સાકરની મીઠાસમાં લીન થયા પછી તેની પાંખ ચોંટી જાય કે બાળકના આંગળાથી થોડી દબાય તોપણ માખી તે મીઠાસને છોડતી નથી, ઉડતી નથી. તેમ આનંદસ્વરૂપ આત્માનો જેને વિશ્વાસ આવ્યો છે, આત્માનું જ્ઞાન કરીને તેનો વિશ્વાસ આવ્યો ને તેમાં ઠરે છે, તપે છે, લીનતા કરે છે તે અલ્પકાળમાં પર્યાયમાં મુક્તદશાને પામે છે ને પછી તે સંસારમાં ફરી અવતરતો નથી. ૧૩.
હવે ચૌદમી ગાથા છે, આ ગાથા બહુ સમજવા જેવી છે. કહે છે કે પરિણામોથી જ બંધ ને પરિણામોથી જ મોક્ષ થાય છે.
Please inform us of any errors on [email protected]