Book Title: Hoon Parmatma Choon
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 231
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૦] [હું થતાં તેને અંતરના આશ્રયમાં વીતરાગતાની જ ઉત્પત્તિ થાય, તેને જ સામાયિક અને સમભાવ કહેવામાં આવે છે. સ્વરૂપે તો દરેક જીવ ‘ જ્ઞાનમય ’ કહેતાં સમભાવ સ્વરૂપ જ છે પણ તેની અંદર નજર પડતાં સમભાવ પર્યાયમાં પ્રગટ થાય છે. સમયસારમાં પણ ૧૧મી ગાથામાં કુંદકુંદાચાર્ય કહે છે કે ભૂતાર્થ એટલે જ્ઞાનમય આત્માના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને તેના જ આશ્રયે સમભાવ-ચારિત્ર પ્રગટ થાય છે. જ્ઞાનમય વસ્તુ અર્થાત્ વીતરાગતામય અર્થાત્ નિર્વિકલ્પ સમરસીસ્વભાવ-એકરૂપ સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન થાય, સમ્યગ્નાન થાય, સમ્યક્ચારિત્ર થાય, શુક્લધ્યાન થાય અને કેવળજ્ઞાન પણ તેના જ આશ્રયે થાય છે. સમયસારમાં બધાં શાસ્ત્રોનાં બીજડાં પડયાં છે. પોતાના આત્મામાં અને બીજા અનંતા આત્મામાં કર્મના વશે જે પર્યાયમાં વિષમતા-વિવિધતા થાય છે તે કાંઈ વસ્તુનું મૂળ સ્વરૂપ નથી. વસ્તુસ્વરૂપે તો બધા જ્ઞાનમય છે એમ જોતાં આ ઠીક છે કે આ અઠીક છે એવી વૃત્તિ જ ઊભી થતી નથી. વ્યવહાર અને પર્યાયદષ્ટિથી જોવાની આંખ બંધ કરીને વસ્તુના કાયમી અસલી સ્વભાવની દૃષ્ટિથી જુએ તો પોતાને પણ જ્ઞાનમય જુએ અને બધા ૫૨ જીવોને પણ એ સમભાવથી ભરેલાં ભગવાન જ જુએ. શ્રી યોગીન્દ્રદેવ આ સામાયિક અર્થાત્ સમભાવની વ્યાખ્યા કરે છે અને ભગવાનનો આધાર આપે છે કે જિનવરદેવ આમ કહે છે. જીવ કર્તા થઈને પોતાના પુરુષાર્થથી પોતાને અને બધા જીવોને ‘જ્ઞાનમય ’ જોવાની સમભાવદષ્ટિ પ્રગટ કરે છે. કર્મને વશ થતાં જીવને અનેક વિષમ પર્યાયો થવા છતાં, તેને દેખવાં છતાં દ્રવ્ય-દષ્ટિએ બધા આત્મા જ્ઞાનમય ભગવાન છે એમ પોતાના પુરુષાર્થથી સમભાવની દૃષ્ટિએ જોતાં પર્યાયમાં સમભાવ પ્રગટ થાય છે. સામાયિકની વ્યાખ્યા કરતાં આમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને વીતરાગભાવ ત્રણેયની વ્યાખ્યા આવી જાય છે. જ્ઞાન સિવાયના બીજા ગુણો પોતાનું અસ્તિત્વ ધરાવે છે પણ પોતાને કે બીજા ગુણોને જાણતા નથી તેથી તેને નિર્વિકલ્પ કહેવાય છે અને જ્ઞાન પોતાને તો જાણે પણ બીજા અનંત ગુણોને પણ જાણે છે. તેથી તેને સવિકલ્પ અને સાકાર પણ કહેવાય છે. આ જ્ઞાન તે આત્માનો અસાધારણ ગુણ છે તેને પ૨મભાવ-ગ્રાહકનય પણ કહેવાય છે. ‘ જ્ઞાનમય ’ આત્માની દષ્ટિ કરતાં આત્મા જ્ઞાતા-દષ્ટા થઈ જાય છે તેથી ‘જ્ઞાનમય ’ આત્માનો નિર્ણય કરતાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમભાવની ઉત્પત્તિ થાય છે. જ્ઞાનને સવિકલ્પ કહ્યું તેનો અર્થ સ્વ-૫૨ને જાણે તે સવિકલ્પ એમ છે. સવિકલ્પ કહેતાં તેમાં રાગ છે એમ નથી. સ્વ-૫૨ને ન જાણે તે નિર્વિકલ્પ અને સ્વ-૫૨ને જાણે તે સવિકલ્પ એવો અહીં અર્થ લેવો. આ દૃષ્ટિએ જ ભગવાનના કેવળજ્ઞાનને પણ સવિકલ્પ કહેવાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249